મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતના મુસ્લિમ ધારાસભ્યોએ કોરોનાની સારવાર માટે રૂા.1 કરોડની ફાળવણી કરી.
News Jamnagar May 13, 2021
અમદાવાદ
કોરોનાની સારવાર કરતી વિવિધ હોસ્પિટલોમાં સાધનો ખરીદવા બંને મુસ્લિમ ધારાસભ્યોએ કોરોનાની સારવાર માટે રૂા.૧- કરોડની ફાળવણી કરી.
અમદાવાદ , તા .૧૧ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ કોરોનાના દર્દી ઓની સારવાર માટે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી મળતી રકમ ફાળવી યોગદાન આપ્યું છે . ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દરિયાપુરની લોખંડવાલા હોસ્પિટલ માટે રૂા .૫૦ લાખ અને શાહીબાગની બીએપીએસ હોસ્પિટલ માટે | રૂા .૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે જયારે ધારાસભ્ય ઈમરાન મહારાજ ખેડાવાલાએ લઘુમતી ટ્રસ્ટ રૂા.૧-૧કરોડની સંચાલિત ચાર હોસ્પિટલોને રૂ.૨૫-૨૫ લાખ ફાળવવાની જાહેરાત કરી છે .
દરિયાપુરની લોખંડવાલા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર મશીન બાયપેપ મશીન , ઓક્સિજન ટેન્ક સહિત જરૂરી સાધનો ખરીદવા રૂા .૫૦ લાખની ગ્રાન્ટ આપવા લોખંડવાલા હોસ્પિટલ ટ્રસ્ટને પત્ર લખી વિનંતી કરી છે . એ સાથે જ તેમણે શાહીબાગની બાપ્સ સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં ૪ વેન્ટીલેટર્સ , બાયપેપમશીન , મલ્ટીપારા મોનીટર્સ અને ડાયાલીસીસ મશીન માટે રૂા .૫૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે .
એ જ રીતે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જમાલપુરની છીપા હોસ્પિટલ , રાયખડની રાજ હોસ્પિટલ , જમાલપુર ચાર રસ્તા પાસેની શીફા હોસ્પિટલ અને ખાનપુરની અલ અમીન હોસ્પિટલને વેન્ટીલેટર , બાયપેપ , ઓક્સિજન ટેન્ક તેમજ જરૂરી સાધનો ખરીદવા રૂ .૨ પ -૨ પ લાખ મળી કુલ રૂા .૧ કરોડ ફાળવવા ઈચ્છા વ્યકત કરી છે .
ફાઈલ તસ્વીર.
અહેવાલ .સબીર પઠાણ.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024