મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા શહેરનું વન-વે તથા ‘‘નો પાર્કિંગ ઝોન’’ અંગે નવા નિયમો જાહેર કરાયા
News Jamnagar July 22, 2020
દેવભૂમિ દ્વારકા.
દેવભૂમિ દ્વારકા તા.૨૨, ખંભાળીયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય તમામ સરકારી કચેરીઓ શહેરમાં આવેલ હોઇ, શહેરમાં વધતા જતા ટ્રાફીકના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફીકની ગીચતા ઉભી થાય છે. ખંભાળીયા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા જાહેર રસ્તાઓ ઉપર વન-વે તથા નો-પાર્કિંગ ઝોન વ્યવસ્થા ઉભી કરવાનું ઉચિત જણાતા ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ખંભાળીયા શહેરમાં આવેલા વનવે પોઇન્ટ નગરનાકાથી જોધપુર ગેઇટ જવાના રસ્તા પર પ્રવેશબંધી તેમજ જોધપુરઇ ગેઇટથી નગરનાકા માત્ર પ્રવેશ સમય ૭-૦૦ થી ૧૩-૩૦ તથા ૧૬-૦૦ થી ૨૨-૦૦ સુધી (નગરનાકાથી જોધપુર ગેઇટ જવાનો વૈકલ્પિક રસ્તો – ગાયત્રી મોબાઇલ થઇ રોકડીયા હનુમાન થઇ જોધપુર નાકા જઇ શકાશે.) તેમજ ખંભાળીયા રેલ્વે સ્ટેશનની બંન્ને તરફ ૩૦-૩૦ મીટર (રેલ્વે અધિકૃત પાર્કિંગ સિવાય) તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કિંગ ઝોન સમય ૭-૦૦ થી ૨૨-૦૦. આ પ્રાથમિક જાહેરનામાનો મુસદો ગુજરાત રાજયના સરકારી રાજયપત્રમાં પ્રસિધ્ધ થયા તારીખથી ૩૦ દિવસ સુધી વાંધા સુચનો રજુ કરી શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામૂં સરકારી ફરજ ભાગરૂપે જતા સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઇટરના વાહનોને લાગુ પડશે નહીં.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024