• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જામનગર ખાતે ઉમંગભેર ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કર્યા
Jamnagar

જામનગર ખાતે ઉમંગભેર ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કર્યા

News Jamnagar August 15, 2020

જામનગર ખાતે ઉમંગભેર  ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કર્યા

કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુના હસ્તે ત્રિરંગો લહેરાવાયો

ગુજરાતમાં કૃષિ,ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો સમતોલ વિકાસ થયો છે.
કૃષિ,વાહનવ્યવહારમંત્રીઆર.સી.ફળદુ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

જામનગર તા.૧૫ ઓગષ્ટ, રાષ્ટ્રના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતેના મેદાનમાં જિલ્લા કક્ષાની ઉજવણી આન, બાન, શાન સાથે ઉમંગપૂર્વક અને ભવ્યતાપૂર્ણ કરવામાં આવી હતી. ધ્‍વજવંદનને સલામી કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ આપી હતી. તેમની સાથે જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્‍લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળીએ પણ તિરંગાને સલામી આપી માર્ચ પાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું.
આઝાદીમાં જાન કુરબાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા બાદ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્‍યું હતું કે, રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ અને સેવાનો સમતોલ વિકાસ થયો છે, ગુજરાતની જનતા કોરોનાની મહામારીમાં આફતને અવસરમાં પલટાવવા અગ્રેસર છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દેશની સુરક્ષા કાજે સિમાડાઓને સુરક્ષિત રાખવા આજે સુરક્ષા દળોમાં પણ ગુજરાતીઓનો નોંધપાત્ર વધારો થયો છે જે ગર્વની બાબત છે, તો સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યુ હોય ત્યારે ગુજરાતમાં આ મહામારી સામે લડતા ધનવંતરી રથોની કામગીરીને WHOએ પણ બિરદાવી છે. આ સાથે જન-જનને લાભાર્થે રાજ્ય સરકારે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની તલસ્પર્શી માહિતી મંત્રીશ્રીએ રજુ કરી હતી.

મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી દ્વારા લાગુ કરાયેલી વિવિધ યોજનાઓની વિગતો આપતા ગુજરાતના આંતરમાળખાકીય વિકાસ, જનઆરોગ્યની સુખાકારી માટેનાં રાજ્ય સરકારના નિર્ણયોની આછેરી ઝલક આપી કહયું હતું કે, ખેડૂતોને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિની સ્થિતિમાં પણ તકલીફના રહે તે માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હાલમાં જ અમલી કરવામાં આવી છે, ૩૨ લાખ ટન કરતા વધુ કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી જગતના તાતને સમૃધ્ધ બનાવવા તરફ રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્યમાં સુજલામ સુફલામ યોજના થકી ૪૨ લાખ ઘનફૂટથી વધુ પાણીનો સંગ્રહ કરી શકાયો છે, રિન્યુએબલ એનર્જીમાં ભારતના ૬૪% જેટલા રૂફટોપ સાથે ગુજરાત બિનપરંપરાગત ઉર્જામાં અગ્રીમ છે. ડિજિટલ ક્લાસરૂમ અને લર્નીંગ વિથ અર્નિંગના કોન્સેપ્ટને ગુજરાતમાં લાગુ કરી શિક્ષિત ગુજરાત-વિકસિત ગુજરાત તરફ હરળફાળ ભરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજય સરકારે શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોના નાગરિકોના સર્વાંગ વિકાસ માટે સતત જનહિતના નિર્ણયો લીધા છે, મહામારીમાં લોકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના થકી ગર્વીલા ગુજરાતીઓની પડખે રાજ્ય સરકાર હંમેશા આધારસ્તંભ બની ઉભી છે, આજે આપણું ગુજરાત આગવું ગુજરાત બન્યું છે, આજે ગુજરાત શબ્દ વિકાસનો પર્યાય બની ચૂકયો છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કોરોના લડતમાં સતત નિષ્ઠાપૂર્ણ સેવા આપનાર કોરોના વોરિયર્સને મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ રમત ગમત ક્ષેત્રે વિવિધ સિધ્ધીઓ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા.
જેમાં જામનગરના જી.જી.હોસ્પિટલના કોરોનાના નોડલ ડૉક્ટર એસ.એસ.ચેટરજી,બી.આઇ.ગોસ્વામી તથા અન્ય ડોકટરો, નર્સિસ, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્યકર્મીઓ, લોકોની સુરક્ષા માટે સતત ખડેપગે તૈનાત રહેલા પોલીસકર્મીઓ તેમજ સેનેટરી ઇન્સ્પેકટર અને કોવિડને માત આપી જીવનના જંગને જીતનાર ૮ લોકોને આમ કુલ ૪૮ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા. આ તકે, રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામેલ નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા અને હેડ કોન્સટેબલ શ્રી ભરતભાઇ મુંગરાને મંત્રીના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં મંત્રીશ્રી આર.સી.ફળદુ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, મ્યુનિ. કમિશનર સતિષ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા,ડી.વાય.એસ.પી એ.પી.જાડેજા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા તથા જિલ્લાના વિવિધ વિભાગોના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશ શુક્લ દ્વારા કરવામાં આવેલ હતું.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

"પર્યાવરણ દિવસ" ઉજવણીને સાર્થક કરતુ GPCB જામનગર

હવામાન વિભાગ દ્વારા બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાં...

ભારતીય સૈન્ય જવાનો બિપરજોય ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી ...

73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂ...

કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક ર...

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દ્વારા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach