મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માતા પિતાએ આત્મહત્યા કરી લેતા 6 માસ ના બાળક એ ગુમાવી માતા પિતા ની છત્રછાયા
News Jamnagar August 18, 2020
જામનગર
અહેવાલ. સબીર દલ
જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને પંચકોશી બી ડિવિઝન મા ફરજ બજાવતા પોલીસ કર્મચારિએ પત્ની સાથે આપઘાત કરતાં સમગ્ર પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ હતી
જામનગરમાં ગઈકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે બ્લોક.નો.35 માં રહેતા મોડી રાત્રે પોલીસ કર્મીએ પત્ની સાથે આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઇ ગઇ છે.જામનગરમાં પંચકોશી બી ડિવિઝનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ જાદવ નામના પોલીસ કર્મીએ પોલીસ હેડકવાર્ટરમાં પોતાના રહેણાંક મકાનમાં જ પત્ની સાથે આપઘાત કરી લીધો છે જો કે આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે.
પોલીસ કર્મચારી ભરતભાઈ જાદવ અને તેમના પત્ની જાગૃતિ બેનએ હેડ ક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેની લાશને પીએમ અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આમ પોલીસ કર્મી અને તેની પત્ની આપઘાત કરી લેતાં માસનું બાળક નિરાધાર બની ગયું છે.હાલ આ બાળક તેમના નાના રમેશભાઈ પાસે છે તેને કોઈ ઇજા જોવા મળી નથી મહત્વનું છે કે પતિ-પત્નીએ સાથે આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે જોકે આપઘાતનું ખરું કારણ તો પીએમ રિપોર્ટ બાદ જ આવશે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024