મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યાદવનગર ના દુષ્કર્મના આરોપીઓને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી જામનગર એસ.ઓ.જી. તથા એલ.સી.બી.
News Jamnagar October 05, 2020
જામનગર
શહેરના યાદવનગર વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા એક પરિવારની સતર વર્ષીય પુત્રી પર ગત તા.28મીના રોજ ચાર નરાધમોએ દિવસ દરમિયાન સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.બાદ માં જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે A- પાર્ટ ગુન્હા નંબર IPC કલમ 376 – D તથા પોક્સો એક્ટની કલમ 4 ,5 ( G ) ,6 મુજબ નો ગુન્હો ગઈ તા .૦૨ / ૧૦ / ૨૦૨૦ ના રોજ દાખલ થયેલ અને આ ગુન્હાના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક દિપન ભદ્રન સાહેબ દ્વારા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.ના તથા એસ.ઓ.જી.નાઓને સુચના કરેલ જે દરમ્યાન એસ.ઓ.જી.ના પો.સ.ઈ. આર.વી.વીંછી તથા પો.સ.ઈ.વી.કે.ગઢવી તથા તેની ટીમને હકીકત મળેલ છે કે આ ગુન્હાના આરોપીઓ દેવભૂમિ દ્વારકા જીલ્લાના સિહણ ગામ તથા ખંભાળીયા ગામે હાજર છે જેથી એલ.સી.બી.તથા એસ.ઓ.જી.ની અલગ અલગ ટીમો બનાવી ત્યા જઈ સદર ગુનાના આરોપીઓ (૧) દર્શન ઘેલુભાઈ ભાટીયા (૨) મિલન ડાડુભાઈ ભાટીયા (૩) દેવકરણ જેસાભાઈ ગઢવી રહે બધા જામનગર વાળાઓને ગણત્રીની કલાકોમાં રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.અને આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જામનગર શહેર વિભાગના સુપરવિઝન હેઠળ “ UCAM “ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર આર.બી.ગઢવી ચાલાવી રહેલ છે.આ કાર્યવાહી પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી તથા એસ.ઓ.જી.ના સુપરવિઝન હેઠળ કરવામાં આવેલ હતી.
તસ્વીર.સબીર દલ
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025