મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા કૃષી સુધારા બીલ સુધારા અંગે જિલ્લાના ગામડાઓમા ખેડૂતો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી
News Jamnagar October 10, 2020
જામનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના કુશળ નેતૃત્વ હેઠળ પસાર કરવામા આવેલ “કૃષિ બિલ સુધારા” અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા ખેડૂતો સાથે ખાસ બેઠકો યોજાઇ હતી અને ખેડૂતોને આ કાયદાના સુધારાઓથી થનાર અગણિત ફાયદાઓ અંગે સવિસ્તર ચર્ચા કરી હતી.
વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં,ખેડુતોને ખરા અર્થમાં આઝાદી સાથે આત્મનિર્ભરતા અને મજબૂતી પ્રદાન કરનારા,કૃષિ સુધારા બિલના ક્રાંતિકારી પગલાની સમજણ આપવાના ભાગરૂપે,ગઇકાલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા જામનગર તાલુકાના ગાગવાધાર અને મોટી ખાવડીમાં,ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ,જાડા ના પુર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા,જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ.વિનુભાઇ ભંડેરી.તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઇ સભાયા,તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા કિશાન મોરચા મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા ભાજપ પુર્વ મહામંત્રી કુમારપાળસિંહ રાણા સાથે ખેડૂતો સાથે પરામર્શ યોજી, નવા કાયદાની વિસ્તૃત સમજણ આપી હતી
આ ઐતિહાસીક જોગવાઇઓ દ્વારા બમણી આવક કરી રાષ્ટ્રની પ્રગતિ અને અર્થતંત્રની વધુ ગતિશીલતાના સહભાગી બનવા સૌ ખેડૂતોને શુભકામનાઓ પાઠવી હતી.
Tags :
You may also like
શુભકામનાઓસભર વ્યક્તિત્વને શુભેચ્છાઓ
હેપી બર્થ ડે .....એ ઉમળકાસભર વાક્ય છે, એ સ્વૈચ્છીક હોય છે પરંતુ વ્યાપક બહુ જ છે. આપણા પરીવારજન, સ્વજન,મિત્ર,સંબંધી,પાડોશી,સહઅધ્યાયી,સહકાર્યકર્તા .....
February 08, 2025