મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રંગમતી નદીના પટ માંથી રેતી મિશ્રીત હાડ મોરમનું ખનન કરતા છ ઇસમોને જેસીબી. ડમ્પરો તથા ટ્રેકટરો મળી કુલ રૂ . 26 લાખ થી વધુના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.
News Jamnagar November 03, 2020
જામનગર
જામનગર શહેરમાં રંગમતી નદીના પટ માંથી રેતી મિશ્રીત હાડ મોરમનું ખનન કરતા છ ઇસમોને જેસીબી ,ડમ્પરો તથા ટ્રેકટરો મળી કુલ રૂ . ૨૬,૨૪,000 / – ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ જામનગર જીલ્લાના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઇ તલાવડીયાને મળેલ બાતમી હકિકત આધારે જામનગર શહેરમાં મારૂ કંસારા સમાજની વાડી પાછળ મંગલધામ સોસાયટીની બાજુ માંથી પસાર થતી રંગમતી નદીના પટ માંથી નીચે લખ્યા નામ વાળા આરોપીઓ કોઇ પણ જાતની લીઝ કે પરમીટ વગર રેતી મિશ્રીત હાડ મોરમનું ખનન કરતા મળી આવતા તેના કજા માંથી એક જેસીબી કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / – બે ડમ્પર કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / તથા બે ટ્રેકટર કિ.રૂ. ૬,૦૦,૦૦૦ / – તથા હાડ મોરમ આશરે ૧૨ ટન કિ.રૂ. ૨૪,૦૦૦ / – મળી કુલ રૂ . ૨૬,૨૪,૦૦૦ / – ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ પો . હેડ કોન્સ . હરદીપભાઇ ધાધલએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. સંજયસિંહ વાળાએ ખાણ ખનીજ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે . ( ૧ ) પંકજભાઇ વસંતભાઇ ચાંદ્રા વેપાર રહે . પવનચકકી , કીશાન ચોક , જામનગર ( ૨ ) વિજયભાઇ રમેશભાઇ વીરમગામ રહે . મોરકંડા ધાર ઉપર તા.જી.જામનગર ( ૩ ) સરફરાજ ગુલજારભાઇ આમરોણીયા રહે .હર્ષદ મીલની ચાલી , જામનગર ( ૪ ) હિતેશભાઇ પદમાભાઇ તરાવીયા રહે . પુષ્કરધામ સોસાયટી , રણજીતસાગર રોડ જામનગર ( ૫ ) જેન્તીભાઇ જીવાભાઇ કારજીયા રહે . ખીમલીયા , તા.જી.જામનગર ( ૬ ) લખમણભાઇ માણસુરભાઇ ખરા રહે . દરેડ , તા.જી.જામનગર આ કાર્યવાહી પો.ઇન્સ. કે.જી.ચૌધરી ની સુચના થી પો.સ.ઇ.બી.એમ.દેવમુરારી , પો.સ.ઇ આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા , અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , દિલીપ તલવાડીયા , ફીરોજભાઇ દલ , ખીમભાઇ ભોચીયા , હીરેનભાઇ વરણવા , લાભુભાઇ ગઢવી , વનરાજભાઇ મકવાણા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , નિર્મળસિંહ બી.જાડેજા , પ્રતાપભાઇ ખાચર , અશોકભાઇ સોલંકી , અજયસિંહ ઝાલા , બળવંતસિંહ પરમાર , સુરેશભાઇ માલકીયા , લખમણભાઈ ભાટીયા , ભારતીબેન ડાંગર , એ.બી.જાડેજા તથા અરવીદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025