મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્યમાં શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બે-ત્રણ દિવસમાં SOP જાહેર કરાશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
News Jamnagar November 05, 2020
ગુજરાત
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે,આગામી સમયમાં રાજ્યની શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે બે-ત્રણ દિવસમાં SOP જાહેર કરીને યોગ્ય નિર્ણય કરાશે.
મંત્રીશ્રી ચુડાસમાએ ઉમેર્યુ કે, રાજ્યમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષે મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે SOP બનાવવા માટે સુચના આપી હતી. જેના અનુસંધાને આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને SOP બનાવવા માટેની સુચના આપી દેવાઇ છે જે આગામી બે-ત્રણ દિવસમાં બનાવી દેવાશે. વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો સાથે પણ ઓનલાઇન ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ ૯ થી ૧૨માં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે પણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક SOP બનાવવા માટે પણ સુચનાઓ આપી દેવાઇ છે. તેમણે ઉમેર્યુકે SOP તૈયાર થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ કરવું એ અંગે યોગ્ય નિર્ણય રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024