મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સેનાના જવાન નું તેમના વતન ખાતે કરાયું અંતિમસંસ્કાર .
News Jamnagar December 04, 2020
દેવભૂમિ દ્વારકા.
તા.4 જામખંભાળિયા તાલુકાના સોનારડી ગામના વતની એવા એક ક્ષત્રિય યુવાનનું મંગળવારે દિલ્હી ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું ,આ કરૂણ બનાવની સૂત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા દ્રારક રોડ પર આવેલા સોનારડી ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા એક ક્ષત્રિય પરિવારના વીર જવાન શહીદ દિલીપસિંહદાજીભા જાડેજા (ઉ.વ .૩૫) છેલ્લા આશરે સોળ વર્ષ થીમીલ્ટ્રીમેન તરીકે દેશની સેવા આપી રહ્યા હતા .
આ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તેમને ફેફસા સહિતની બીમારી હોવાથી તેમને ગત તા .૨૭ મીના રોજ દિલ્હી સ્થિત આર્મીની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી .પરંતુ દિલીપસિંહને અપાતી આ સારવાર કારગર ન નીવડતાં મંગળવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા
શહીદ દિલીપસિંહના મૃતદેહને બુધવારે સાંજે દિલ્હીથી વિમાન માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો .જ્યાંથી સોનારડી ગામે ગુરુવારે સવારે તેનો મૃતદેહ પહોંચતા ગ્રામજનો એકત્ર થયા હતા અને ભારે શોક સાથે ગમગીની ભર્યો માહોલ સર્જાયો હતો .અને તેમના સેનાના જવાનો દ્વારા સલામી આપી માનભેર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા .
અહેવાલ. મમદ ચાકી
જામખંભાળિયા
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025