• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. ભારત બંધના એલાનમાં જામનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
News Updates

ભારત બંધના એલાનમાં જામનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

News Jamnagar December 08, 2020

ભારત બંધના એલાનમાં જામનગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

જામનગર.
આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે,ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી રહી છે,જેને પગલે ઠેર ઠેર આગજનીના બનાવો બન્યા હતાં. ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતા અને કાર્યકરો તથા ખેડૂતોની અટકાયત કરાઈ છે, જેના પગલે રાજ્યમાં જનજીવનને અસર થવા પામી છે.

આ આંદોલનને કોંગ્રેસ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. અહીંની મેઈન બજાર,જોધપુર ગેઈટ, નગર ગેઈટ, શાક માર્કેટ, વિગેરે કોમર્શિયલ વિસ્તારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.આ ઉપરાંત ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ પણ સવારથી નિયમિત રીતે ધમધમ્યું હતું.

અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ છે. રાજ્યભરમાં કોંગી કાર્યકરો, નેતાઓ અને ખેડૂતોની અટકાયત કરાઈ હતી.

જામનગરમાં આજે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ સહિતના વિરોધપક્ષઓએ ભારત બંધના આપેલા એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો આગેવાનોને સરકારની સૂચનાથી પોલીસે વિરોધ કાર્યક્રમ કરે તે પહેલા જુદા જુદા સ્થળોએથી ઝડપી લીધા હતા.

કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં દેશભરના ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને સરકારને આ બીલ પરત ખેંચવા માટે અપીલ કરી રહ્યા છે, સરકાર અને આંદોલનના મુખ્ય ખેડૂત આગેવાનો વચ્ચે અનેક મંત્રણાઓ બાદ આ પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવતા ખેડૂત આંદોલનકારીઓએ આજે ભારતબંધનું એલાન કરતા જામનગરમાં આ બંધને મિશ્ર પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે.

ભારતબંધના પગલે જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ગઇકાલે જ કલમ 144નું જાહેરનામું બહાર પાડી ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવી દીધો હતો જેને લઇને આજે બંધ કરાવી રહેલા કોંગ્રેસના કાર્યકરોની જાહેરનામા ભંગના મુદે પોલીસે અટકાયત કરી હતી, જો કે કોંગ્રેસ દ્વારા પણ વ્યવસ્થીત પ્લાનીંગ કરી ટીમ બનાવી કોઇ એક જગ્યાએ ભેગા થવાના બદલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી અલગ-અલગ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો એકશન પ્લાન ગઇકાલે જ ઘડી લેવામાં આવ્યો હતો,
જામ.વિરોધપક્ષ ના નેતા ને બાયપાસ પાસે થી અટકયાત કરી લેવામાં આવ્યા હતાં.

જામનગરની બજારો અને દુકાનો બંધ કરાવતા કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોની અલગ-અલગ વિસ્તારોમાંથી અટકાયત કરવામાં આવી હતી.

મહિલા કોર્પોરેટર જૈનમબેન ખફીએ અને અસલમ ખીલજીએ ભારતબંધમાં સરકારનો નવતર વિરોધ કર્યો હતો અને બળદગાડા ઉપર બેસી બેનરો લગાવી,માઇકમાં સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા કાલાવડ નાકા બહાર બળદગાડા પર નવત્તર વિરોધ કરી રહેલા જેનમબેનની મહિલા પોલીસ દ્વારા તરત જ અટકાયત કરી લેવામાં આવી હતી.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સ...

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ ક...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach