• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી.સર્વેની કામગીરીનો પ્રારંભ
Jamnagar

રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી.સર્વેની કામગીરીનો પ્રારંભ

News Jamnagar December 12, 2020

રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી.સર્વેની કામગીરીનો પ્રારંભ

જામનગર
જામનગર જિલ્લામાં કોરોના વેક્સિન અંગે સિનિયર સિટીઝનોના સર્વેનો પ્રારંભ

સિનિયર સિટીઝનોને પ્રાથમિકતા આપી વિનામૂલ્યે રસીકરણમાં સામેલ કરવાના સરકારના પગલાને આવકારતા જામનગરના વડીલો
જામનગર તા 12 ડિસેમ્બર, કોરોના મહામારી સામે લડવા હવે રસીકરણ નામક હથિયાર થોડા જ સમયમાં આવવાની આશા છે, ત્યારે જામનગર જિલ્લામાં રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના વડીલોને પ્રાથમિકતા આપી પ્રથમ તબક્કામાં જ વિનામૂલ્યે રસી આપવામાં આવશે. આજથી આ માટેના  સર્વેનો  પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. જામનગર જિલ્લામાં હજુ ત્રણ દિવસ આ સર્વે કરવામાં આવશે. આમ કુલ ચાર દિવસ બાદ રસીકરણ માટે ૫૦ વર્ષથી ઉપરના, તેમજ ૫૦ વર્ષની અંદરના વયજૂથના કોઈ અતિ ગંભીર બીમારી ધરાવતા જેમ કે કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, થેલેસેમિયા, એઇડસ વગેરે ધરાવતા લોકોને પણ આ રસીકરણ ઝુંબેશમાં સાંકળી લેવા માટે સર્વે દ્વારા યાદીમાં ઉમેરવામાં આવશે. 
આજથી શરૂ થયેલી આ ઝુંબેશમાં જામનગરના વિવિધ વિસ્તારોમાં બી.એલ.ઓ અને આશા વર્કર બહેનોની ટીમ યાદી તૈયાર કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ સમયે જામનગરના વડીલો પણ સરકારના આ પગલાથી અત્યંત ખુશ છે. જામનગર જિલ્લાએ કોરોનાના પ્રથમ ચરણમાં ખૂબ મોટા પ્રમાણમાં સંક્રમણનો સામનો કર્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને આ મહામારીમાં સૌથી વધુ પરિવારોએ વડીલોને ગુમાવ્યા છે ત્યારે મહામારી સામે લડવા માટેની રસી હવે હાથવેંતમાં જ છે અને એ રસી સરકાર દ્વારા વડીલોને વિનામૂલ્યે પ્રારંભિક તબકકામાં જ આપી દેવામાં આવશે, તેમ જાણી જામનગરના વડીલોમાં આ સંક્રમણ સામેની લડાઇ લડવાનું નવું જોમ આવ્યું છે.  
સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ વર્ષથી ઉપરના અને ગંભીર બીમારી ધરાવતા પચાસ વર્ષથી નીચેના લોકોને રસીકરણ ઝુંબેશમાં સામેલ કરવામાં આવ્યા છે.ત્યારે જામનગરના વિવેકાનંદ સોસાયટીના ૭૨ વર્ષીય વૃદ્ધ લાલજીભાઈ ચુડાસમા કહે છે કે,કોરોનાની મહામારીમાં હું પોતે પણ સંક્રમિત થયો હતો અને ૧૮ દિવસ સુધી મેં જી.જી. હોસ્પિટલમાં સારવાર લીધી છે. આ બીમારીની ગંભીરતા હું ખૂબ સારી રીતે સમજું છું. આ તકલીફમાંથી પસાર થયા બાદ આજે હવે જ્યારે સરકાર અમને પ્રારંભિક તબક્કામાં જ રસીકરણ માટે પસંદ કરવા જઈ રહી છે ત્યારે સરકારના આ સંવેદનશીલ પગલાંને હું આવકારું છું, પ્રશંસનીય ગણું છું. સાથે જ અન્ય વૃદ્ધોને પણ અપીલ કરું છું કે, તમારા આંગણે સર્વે કરવા આવનાર બી.એલ.ઓ, આશા વર્કર બહેનને સહકાર આપી આ રસીકરણ ઝુંબેશમાં પોતાનું નામ નોંધાવો અને સ્વસ્થ રહો. 
આ રસીકરણ ઝુંબેશમાં નામ નોંધાવવા માટેના સર્વેની કમગીરી હજુ ત્રણ દિવસ કરવામાં આવશે ત્યારે કલેકટર શ્રી રવિશંકર દ્વારા પણ લોકોને પોતાનું ઓળખકાર્ડ, મોબાઈલ નંબર જેવી આવશ્યક વસ્તુઓ સાથે રાખી ઘરે આવનાર સર્વેયરને સહકાર આપવા માટે જામનગરવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. 
જિલ્લા સમાહર્તાશ્રીએ લોકોને સંદેશ આપતા કહ્યું હતું કે, હાલમાં કોરોના મહામારી બીજા ચરણમાં છે. જામનગરમાં એવરેજ લગભગ ૧.૫% ટકા ગ્રામ્ય વિસ્તારના અને ૫.૧૪ % શહેરી વિસ્તારના લોકો પોઝિટિવ આવી રહ્યા છે. હાલમાં લગ્નસરાની મોસમ પૂર્ણ થઇ છે ત્યારે લોકો સ્વસ્થ રહે તે માટે, જો તેમણે યાત્રા કરી હોય તો ખાસ પોતાનો ટેસ્ટ કરાવે. સ્વયં તકેદારી રાખે. જામનગરમાં લગભગ ૪૨ જેટલા આરોગ્ય ધનવંતરી રથ પણ ચાલુ છે. સાથે જ શહેરમાં યુ.પી.એચ.સી. અને ગ્રામ્ય કક્ષાએ પી.એચ.સી અને સી.એચ.સીમાં પણ ટેસ્ટિંગની સુવિધાઓ છે તો લોકો આ સુવિધાઓનો લાભ લઇ મહામારીને આગળ વધતી અટકાવવામાં મદદરૂપ થાય.
જામનગર જિલ્લામાં હાલ સુધીમાં ૨.૮૦ લાખ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાંથી ૯૩૩૫ જેટલા લોકો પોઝિટિવ આવેલા છે. સંક્રમિત થયેલા દર્દીઓમાંથી ૯૫ ટકા લોકો રિકવર થઇ ચૂકયા છે. આમ, જામનગર જીલ્લાનો રિકવરી રેટ પણ સારો જોવા મળ્યો છે. હાલમાં લોકો સંયમપૂર્વક વર્તી, બીજાને પણ સાવધાન કરી તકેદારીના પગલાં લેશે તો આ બીજા ચરણમાં પણ સંક્રમણને ખાળી શકાશે અને સંક્રમણ વધતા અટકાવી પણ શકાશે. આ સાથે જ કલેકટરએ લોકોને માસ્ક વગર ન નીકળવા અને અન્ય પણ માસ્ક વગર નિકળતા જોવા મળે તો તેમને સમજૂત કરવા વિનંતી કરી હતી. 

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

"પર્યાવરણ દિવસ" ઉજવણીને સાર્થક કરતુ GPCB જામનગર

હવામાન વિભાગ દ્વારા બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાં...

ભારતીય સૈન્ય જવાનો બિપરજોય ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી ...

73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂ...

કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક ર...

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દ્વારા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach