• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. દુશ્મન દેશો ભારતીય દરિયાઈ સીમા પર આંખ ઉઠાવીને નહિ જોઈ શકે
Breaking News

દુશ્મન દેશો ભારતીય દરિયાઈ સીમા પર આંખ ઉઠાવીને નહિ જોઈ શકે

News Jamnagar December 17, 2020

દુશ્મન દેશો ભારતીય દરિયાઈ સીમા પર આંખ ઉઠાવીને નહિ જોઈ શકે

હજીરા ખાતે L&T દ્વારા તૈયાર થયેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ
—
ગેરકાયદે ઘુસણખોરી, દાણચોરી, માછીમારી અને શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર રાખશે બાજનજર
–
તટરક્ષકદળમાં સામેલ થયેલા સ્વદેશી ઈન્ટરસેપ્ટર જહાજ દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે: પોલિસ કમિશનર અજય તોમર
–
છેલ્લી અને ૫૪મી ઈન્ટરસેપ્ટર બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને કરવામાં આવી અર્પણ
–
સુરતઃમંગળવાર: સુરતના હજીરા ખાતે L&T લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ ભારતીય તટરક્ષકદળમાં સામેલ થઈ છે. L&T દ્વારા આ પ્રકારની ૫૪ બોટ નિર્માણ કરવામાં આવી છે, જે પૈકી છેલ્લી અને ૫૪મી બોટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પોલિસ કમિશનરશ્રી અજય તોમરની ઉપસ્થિતિમાં આજે અર્પણ કરવામાં આવી હતી. સુરતના હજીરાના આંગણે તૈયાર થયેલી આ સ્વદેશી બોટ ગેરકાયદે ઘુસણખોરી, દાણચોરી, માછીમારી અને શંકાસ્પદ સમુદ્રી હિલચાલ પર બાજનજર રાખશે.

આ પ્રસંગે સુરત પોલિસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રની સુરક્ષામાં દરિયાઈ સીમાઓની સુરક્ષા મહત્વપૂર્ણ હોય છે. ગુજરાતનો દરિયાકિનારો પાકિસ્તાનની નજીક છે. જેથી રાજ્યના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાની સુરક્ષા માત્ર ગુજરાત જ નહિ, પરંતુ દેશની સુરક્ષા માટે પણ ખુબ મહત્વ ધરાવે છે. ભારતીય કોસ્ટ ગાર્ડની આગવી ભૂમિકા વિષે શ્રી તોમરે જણાવ્યું કે, ગેરકાયદે ઘુસણખોરી, દાણચોરી, માછીમારીને રોકવા માટે કોસ્ટ ગાર્ડ મહત્વની કડી છે. તટરક્ષકદળમાં સામેલ થઈ રહેલી સ્વદેશી બનાવટની ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. ભારતીય કોસ્ટ ગાર્ડએ બહાદૂરીના અનેક કિર્તિમાનો સ્થાપિત કર્યા છે, ત્યારે ઈન્ટરસેપ્ટર જહાજના કારણે નૌસેના તેમજ કોસ્ટ ગાર્ડની તાકાતમાં ખુબ વધારો થશે.
દુશ્મન દેશો ભારતીય દરિયાઈ સીમા પર આંખ ઉઠાવીને નહિ જોઈ શકે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં પોલિસ કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, હાઇસ્પીડ ઇન્ટરસેપ્લાન, દરિયા કાંઠાની નજીકમાં પેટ્રોલિંગ. ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કામગીરી તેમજ દરિયાઈ સીમાની દેખરેખ જેવા કાર્યો માટે ખુબ ઉપયોગી પુરવાર થશે.

ભારતીય તટરક્ષક પ્રદેશ (NW) કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલે જણાવ્યું હતું કે, સ્વદેશી ઈન્ટરસેપ્ટર બોટ-આઈ.બી. નો ઉપયોગ કરીને નિર્માણ પામી છે. જેમાં એન્જિન, રડાર નેવિગેશન, વેપનરી સિસ્ટમ જેવા સ્ટેટ ઓફ ધ આર્ટ સંસાધનો સામેલ છે. દરિયાઈ ક્ષેત્રમાં દુશ્મન દેશની કોઈ શંકાસ્પદ બોટ કે વ્યક્તિને ઈન્ટરસેપ્ટ કરી લે છે. અને કારની જેમ તેનું એન્જિન તાત્કાલિક શરૂ થઈ જાય છે. આ બોટ છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે પ્રતિ કલાક ૪૫ નોટિકલ માઇલ (૮૦ કિલોમીટર)ની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. માત્ર ૧૫ મિનિટમાં જ શાંત અવસ્થામાંથી એક્ટિવ મોડમાં આવી જાય છે. આ જહાજ અદ્યતન દિશાસૂચન અને સંદેશાવ્યવહારના ઉપકરણોથી સજ્જ છે.

આ ઇન્ટરસેપ્ટર બોટ કમાન્ડર તટરક્ષક પ્રદેશ (NW)ના પ્રશાસન અને પરિચાલન નિયંત્રણ હેઠળ ગુજરાતમાંથી સંચાલિત કરવામાં આવશે અને હાલમાં ગુજરાતની સમુદ્રી સરહદોમાં દરિયા કાંઠાની સુરક્ષા વધુ ચુસ્ત કરવા માટે ભારતીય તટરક્ષકદળને વધુ કાર્યક્ષમ બનાવશે એમ શ્રી પાલે ઉમેર્યું હતું.
આ વેળાએ પોલિસ કમિશનરશ્રીએ જહાજની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી.
ભારતીય તટરક્ષકદળના ઈન્ટરસેપ્ટર બોટ સી-૪૫૪ની એક ઝલક
L&T લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ, હજીરા દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવેલી સ્વદેશી બનાવટની ૫૪ બોટમાંથી આ ૫૪મી ઇન્ટરસેપ્ટર બોટ (IB) છે. આ જહાજની કુલ લંબાઇ ૨૭.૮૦ મીટર, ડિસ્પ્લેસમેન્ટ ૧૧૦ ટન અને મહત્તમ ઝડપ ૪૫ નોટિકલ માઇલ છે. આ જહાજ ટ્વીન ડિઝલ એન્જિન, ટ્વીટન વોટર જેટ પ્રોપલ્શનથી સજ્જ છે, અને ૨૫ નોટિકલ માઇલની ઝડપે ૫૦૦ નોટિકલ માઈલની ક્ષમતા ધરાવે છે. આ જહાજ રાત્રિના સમયે દેખરેખ માટે ઇન્ફ્રારેડ સર્વેલન્સ સિસ્ટમથી સજ્જ છે.
સી-૪૫૪ બોટ બહુલક્ષી કાર્યો જેમકે, દરિયાકાંઠાની નજીકમાં દેખરેખ, ઇન્ટરડિક્શન સર્ચ અને બચાવ વગેરે કરવા માટે સક્ષમ છે. આ જહાજમાં એક અધિકારી અને ૧૩ કર્મચારી નિયુક્ત કરાયા છે. આ જહાજમાં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કમ્યુનિકેશન, નેવિગેશન ઉપકરણો લગાવેલા છે, અને ૧૨.૭ એમએમ હેવી મશીન ગન (પ્રહરી) ઓનબોર્ડ તેના મુખ્ય શસ્ત્ર છે.
-૦૦-

Share:
Tags :
News Jamnagar

You may also like

જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત શરેરાશ ૫૩.૯૮ ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

ભાજપ ચુંટણી મોડમાં ---પાટીલઅને પ્રભારીની ધડાધડ સુચનાઓ- લે...

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં

એમીક્રોન જામનગરમાં? સપ્તાહબાદ આવશે રિપોર્ટ

બૌદ્ધિક અસમર્થતા,ઓટીઝમ અને સેરેબ્રલ પાલ્સી પ્રકારની દિવ્ય...

શુક્રવારેથી સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે એટલે...

ગુજરાત ના યુનિવર્સિટી ના છાત્રો ને મેરીટ પ્રમાણે પ્રોગેશન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach