• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. જામનગર જિલ્લા નું પાણીદાર ગામ ત્યાં મળે છે 24 કલાક નળ નું પાણી.
News Updates Breaking News

જામનગર જિલ્લા નું પાણીદાર ગામ ત્યાં મળે છે 24 કલાક નળ નું પાણી.

News Jamnagar December 21, 2020

જામનગર જિલ્લા નું પાણીદાર ગામ ત્યાં મળે છે  24 કલાક નળ નું પાણી.

જામનગર
“નલ સે જલ” દ્વારા કાલાવડ તાલુકાના રીનારી ગામે ૨૪ કલાક ઘરે-ઘરે નળ દ્વારા પાણીની સુવિધા

સો ટકા નળ કનેક્શન, ખુલ્લામાં શૌચ મુક્ત અને ભૂગર્ભ ગટર સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર ‘રીનારી’

જામનગર તા.૨૧ ડિસેમ્બર, જામનગર જિલ્લામાં હંમેશા પાણીની તકલીફ જોવા મળી છે. કુદરતી રીતે જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો એવો જિલ્લો છે, જયાં પાણીની તંગીથી લોકો ખૂબ ત્રસ્ત રહેતા હોય છે પરંતુ, સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે અનેક પેટા જૂથ યોજનાઓ, સૌની યોજના થકી હવે સૌરાષ્ટ્રનો પાણીપ્રશ્નએ ભૂતકાળ બની ગયો છે.

ભૂતકાળમાં સૌરાષ્ટ્રનું નામ સાંભળતા જ પાણીની તંગી વેઠતો પ્રદેશ આંખ સામે તરવરતો, નર્મદાના નીરથી સૌરાષ્ટ્ર આજે પાણીની તંગીના બદલે પાણીથી તરબોળ પ્રદેશ બન્યો છે. આ પાણી લોકોના ઘરે-ઘરે નળ દ્વારા પહોંચે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “નલ સે જલ” યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આજે જામનગર જેવા પાણીની ફરિયાદ કરતા જિલ્લામાં પણ આ યોજનાનો લાભ થકી આ જિલ્લાના ગામો પાણીદાર બન્યા છે, જેમાંના કાલાવડ તાલુકાના રીનારી ગામની વાત કરીએ તો, કાલાવડ થી ૧૧ કિલોમીટર દૂરનું આ રીનારી ગામ પાણીદાર બન્યું છે. ગામનાં લોકો આજે ૨૪ કલાક ઘરઆંગણે પાણી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પાણી માટે લોકોના મુખેથી ફરિયાદ સાંભળવા જ મળતી હોય છે ત્યારે રીનારી ગામના લોકો કહે છે કે, અમે પાણી મેળવીને ખૂબ સંતુષ્ટ છીએ.

“૬૫૦ લોકોની વસ્તી ધરાવતું  અમારું રીનારી ગામ બે વર્ષ પહેલા પાણીની તકલીફથી પીડાતું હતું. વળી પાણી જે આપવામાં આવતું, તેમાં પણ પાઈપલાઈન વ્યવસ્થા અને ઊંચાણવાળા વિસ્તારના કારણે અનેક પ્રશ્નો રહેતા. સતત પાણીથી અસંતોષ અને  પાણી માટે સતત મોટર ઉપર નિર્ભર રહેવાને કારણે ગામલોકોના વીજ બિલ પણ ખૂબ મોટા આવતા હતા.” આ શબ્દો છે રીનારી ગામના મહિલા સરપંચ જયાબેન અકબરીના.જયાબેન કહે છે કે,

“ગત વર્ષે હું ગામના સરપંચ પદે નિયુક્ત થઇ, એક મહિલા તરીકે પાણીની તકલીફ કેટલી ગંભીર છે તે વિશે હું સારી રીતે વાકેફ હતી અને આ પ્રશ્નના નિવારણ માટે અમે વાસ્મોના સહકાર થકી ગામને નલ સે જલ યોજનાનો લાભ અપાવ્યો.” વાસ્મો દ્વારા રીનારી ગામમાં પાણીની પાઈપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ત્યારબાદ ગામલોકોએ સહકાર સાથે આ યોજનાનો મહત્તમ લાભ ગામના ઘરે-ઘરે પહોંચે તે માટે દ્રઢ નિર્ધાર સાથે કામગીરી શરૂ કરી. આ વિશે ગામના ધર્મેશભાઈ અકબરી કહે છે કે, “અગાઉ ગામમાં પાણી વિતરણ થતું તેનાથી ખૂબ જ અસંતોષ હતો, સાથે જ ગામના ઉંચાણવાળા વિસ્તારો ના ઘરોને તો મોટર ચાલુ કરવા છતાં પાણી પહોંચતું જ ન હતું. નલ સે જલ યોજના સાથે અમે જોડાયા ત્યારે આ પ્રશ્નને પણ નિવારી અને ગામના ઘરે ઘરે એક સરખા પ્રમાણમાં પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા અમે ગ્રામ લોકોએ ગામને સાત વિભાગમાં વહેંચી અને પ્રથમ દરેક ઘરને ભૂગર્ભ ગટર સાથે જોડી રોડના લેવલીંગ કર્યા. પ્રોપર લેવલીંગના કારણે આજે ગામના સૌથી ઊંચાણવાળા વિસ્તારથી લઈને સૌથી નીચાણવાળા વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે અને ચોવીસ કલાક લોકોના ઘરે પાણી પહોંચવાથી લોકો ખૂબ ખુશ છે.”

રીનારી ગામમાં વસતા ૬૫ વર્ષીય વૃદ્ધા દિવાળીબેન અકબરી કહે છે કે, “પહેલા અમે ગામના પાદરેથી પાણી ભરીને ગામમાં લાવતા, વર્ષો સુધી આ રીતે પાણીની તકલીફ બાદ પાણીની લાઈન ગામમાં આવી, છતાં પણ તે પાણી અમને પૂરતું મળી રહે તે રીતે અમારા સુધી પહોંચતું ન હતું. પાદરેથી, નદી કાંઠેથી પાણી ભરી અને અમારે ઘરે લાવવું  પડતું. ક્યારેય વિચાર્યું નહોતું કે, અમારા ઘરે આમ નળ ખોલતાં પાણી આવશે. આજે નરેન્દ્રભાઈ મોદીની આ યોજનાથી અમારા ગામમાં ઘરે-ઘરે ૨૪ કલાક પાણી મળી રહે છે. આમ અમારા ગામમાં પાણીનું ખૂબ સુખ છે, જે માટે પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ ખુબ આભાર.
વર્ષોથી ઉંચાણવાળા વિસ્તારમાં પોતાનું ઘર હોવાને કારણે પાણીની તંગી વેઠતા ૫૧ વર્ષીય શારદાબેન કમાણી કહે છે કે, ગામમાં લાઈન હોવા છતાં પણ અમારા ઘરે ક્યારેય પાણી પહોંચતું જ નહીં, સતત મોટર ચાલુ રાખવા છતાં પણ પાણીનું ટીપું પણ દેખા ન દેતું, આ યોજનાથી અમારી બધી હાલાકીનો અંત આવ્યો છે. આજે અમારા ઊંચાણવાળા વિસ્તારના ઘરમાં પણ પાણી પુરતા પ્રમાણમાં તો આવે જ છે, સાથે મોટર વગર અમે એક માળ ઉપર ના ટાંકે પણ પાણી પહોંચાડી શકીએ તે રીતે અમને પાણી મળી રહે છે. આ માટે વડાપ્રધાનના વિચાર અને મુખ્યમંત્રીના સહકાર માટે ખુબ આભારી છીએ.
તો વીજળી બિલની તકલીફ અંગે ખુલીને વાત કરતાં રીનારી ગામના ભગવતીબેન અકબરી કહે છે કે, અમારા ગામમાં પહેલા પાણીની એટલી તકલીફ હતી કે,  લાઈન દ્વારા પૂરતું પાણી મળતું નહીં એટલે સતત મોટર ચાલુ રાખવી પડતી. વળી બોરમાંથી પાણી લેવા પણ મોટરનો જ ઉપયોગ થતો હોવાથી ખૂબ મોટા વીજળી બીલો અમ ગામલોકોને ભોગવવા પડતાં. આજે આ બધી જ તકલીફ દૂર થઇ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ નલ સે જલ યોજનાથી અમારા ગામમાં પાણીની જે તંગી હતી તે દૂર થઈ અને ૨૪ કલાક ઘરબેઠા પાણી મળવાથી હવે વીજળી બિલ પણ ખૂબ ઓછું આવે છે અમારે હવે મોટર ચાલુ કરવી પડતી જ નથી.

હાલ રીનારી ગામના દરેક ઘર ભૂગર્ભ ગટર સાથે જોડાયેલા છે, સાથે જ ઘરે-ઘરે શૌચાલયની વ્યવસ્થા છે. આમ રીનારી ગામ સો ટકા ખુલ્લામાં શૌચમુક્ત, સો ટકા ભૂગર્ભગટર જોડાણ ધરાવતું અને સો ટકા પાણીના નળ કનેક્શન સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર થઈ રહ્યું છે.
ગામના દરેક નળ કનેક્શન સાથે પાણીના મીટર જોડાયેલા છે, જેથી પાણીનો બગાડ પણ થતો નથી.
સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણીના કારણે ગંદકી જોવા મળતી હોય છે જેના કારણે મચ્છરોનો ત્રાસ થતો હોય છે પરંતુ કાલાવડનું રીનારી ગામ એવું ગામ છે કે જ્યાં તમને રસ્તા સંપૂર્ણ સ્વચ્છ જોવા મળશે અને આ જ કારણોસર ગત વર્ષે જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો હતો ત્યારે આ ગામ ડેન્ગ્યુના એક પણ કેસ વગર શાંતિથી અને સ્વસ્થતાપૂર્વક જીવી રહ્યું હતું.
ગાંધીજીના વિચારો “સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને  આવશ્યક સ્ત્રોતોનો જરૂરિયાતપૂર્વકનો ઉપયોગ”ને  આ ગામ જીવન મંત્રો માનીને જીવી રહ્યું છે. .

જામનગરનું પાણીદાર ગામ રીનારી

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સ...

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ ક...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach