મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં અત્યાર સુધીમાં 1લાખ થી વધુ કોરોનાના લક્ષણો ધરાવતા સૌરાષ્ટ્ર -કચ્છના વ્યક્તિઓના સેમ્પલનું પરીક્ષણ થયા.5189 સેમ્પલ પૉઝિટિવ આવ્યા છે.
News Jamnagar January 05, 2021
જામનગર
જામનગર તા.૫ જાન્યુઆરી, જામનગરની જિલ્લાકક્ષાની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં અત્યાર સુધીમાં ૧૦૧૮૩૨ કોરોનાના લક્ષણો ધરાવતા સૌરાષ્ટ્ર -કચ્છના વ્યક્તિઓના સેમ્પલનું પરીક્ષણ થયું છે. જેમાંથી ૫૧૮૯ સેમ્પલ પૉઝિટિવ આવ્યા છે. જેમાં જામનગર જિલ્લાના ૪૨૦૭૨ નમુનાઓ હતા. જે પેકી ૩૬૭૭ પોઝિટિવ નમૂના હતા. તેમ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો.પ્રકાશ મોદીએ જણાવ્યું હતું.
રાજ્યભરમાં સૌપ્રથમ અમદાવાદ અને જામનગરને ગુજરાત સરકાર દ્વારા કોવિડ ટેસ્ટ માટે માઈક્રોબાયોલોજી વિભાગને લેબોરેટરી શરૂ કરવાની મજુરી મળી હતી. જેથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૮.માર્ચ, ૨૦૨૦ ના લેબ શરૂ થઈ હતી. લેબમાં કોરોના ટેસ્ટ માટેના અદ્યતન લાખો રૂપિયાના સાધનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવાયા હતા. તેમ એમ.પી.શાહ મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના એસો.પ્રો.ડો. હિતેશ શિંગાડાએ જણાવ્યું હતું.
ધીમે ધીમે બીજા જિલ્લા ઓને પણ લેબોરેટરીની છુટ મળતાં જામનગરની લેબને કામનું ભારણ ઘટ્યું હતું.
કોવિડ લેબના નોડલ ઓફિસર અને એસો .પ્રો.ડો. બીનીતા એરિંગએ જણાવ્યું હતું કે અદ્યતન સાધનોથી સુસજ્જ લેબમાં ડોકટર્સ, સાયન્ટિસ્ટ, લેબ.ટેક્નિસીયન સહિતનો 30 નો સ્ટાફ દિવસ રાત સેમ્પલ કલેકશન, તપાસથી લઇ રિપોર્ટિંગ સુધીની ફરજ છેલ્લા દસ માસથી બજાવી રહ્યો છે. અમને કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે જરૂરી સાધનો, પીપીઈ કીટ પણ પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.
આસી.પ્રો.ડો. હિરલ ગઢવી કોવિડ લેબમાં ડેટા મોનીટરીંગ-રિપોર્ટિંગની સહિતની કામગીરી કરે છે. તેઓના જણાવ્યા અનુસાર ૫૧૮૯ કોરોના પોઝિટિવ સેમ્પલ રિસર્ચ માટે સાચવીને રાખવામાં આવે છે.
લેબમાં RTPCR ટેસ્ટ માટે ગુજરાત સરકારે લાખોના સાધનો જેવા કે બાયોસેફટી કેબિનેટ, પીસીઆર કેબિનેટ, -૮૦ અને -૨૦ (કે જેમાં 6 માસથી પણ વધુ સમય સુધી સેમ્પલ સાચવી શકીએ છીએ) ડિગ્રીના ફ્રીજ, સેન્ટ્રીકયુઝ, પીસીઆર સ્ટ્રીપ રોટર, મીની સ્પિન વગેરે ઉપલબ્ધ કરાવ્યા છે. તેમ સાયન્ટિસ્ટ અભિષેક દવે એ જણાવ્યું હતું.
RTPCR ટેસ્ટ કઇ રીતે થાય છે ?
સાયન્ટિસ્ટ અખલાક અહેમદ કહે છે કે Icmr ની ગાઈડ લાઇન મુજબ સેમ્પલને 3 લેયર પેકિંગમાં મેળવવામાં આવે છે. સેમ્પલ ઉપર નંબરિંગ બાદ તેને પ્રોસેસ કરવામાં આવે છે. પછી સેમ્પલમાંથી RNA ને અલગ કરવામાં આવે છે. RNA ને માસ્ટર મિક્સ રીએજન્ટની અંદર મિક્સ કરવામાં આવે છે. હવે એ પ્લેટને RTPCR મશીનની અંદર મુકવામાં આવે છે. ૨ કલાક પછી RTPCR મશીન તેના નેગેટિવ કે પોઝિટિવ પરિણામ જાહેર કરશે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025