• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 24 આરોપીઓના જાહેરનામા ભંગના કેસમાં નિર્દોષ છૂટકારો. કોર્ટ નો ચુકાદો
News Updates Breaking News

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 24 આરોપીઓના જાહેરનામા ભંગના કેસમાં નિર્દોષ છૂટકારો. કોર્ટ નો ચુકાદો

News Jamnagar January 05, 2021

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 24 આરોપીઓના જાહેરનામા ભંગના કેસમાં નિર્દોષ છૂટકારો. કોર્ટ નો ચુકાદો

જામનગર તા.5: રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીત ર4 ને જામનગર ચીફ જયુ. કોર્ટે નિર્દોષ ઠેરવ્યા હતા. સન 2012 ની સાલમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા યુવા કોંગ્રેસમાં હતા ત્યારે જામનગર લાલ બંગલા ચોક વિસ્તારમાં ઘાસચારા સહીતના વિવિધ પ્રશ્ર્ને પોતાના સાથીદારો સાથે દેખાવો કરતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો જે કેસ જામનગર ચીફ જયુ. કોર્ટમાં ચાલી જતા ચીફ જયુ.મેજીસ્ટ્રેટે હાલના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી.સી. ખેતીયા, મારખીભાઇ વસરા સહીત 21 ને નિર્દોષ ઠેરવ્યા હતા.આ કેસમાં ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા અન્ય આરોપીઓના વકીલ તરીકે મનોજ એમ . અનડકટ , કેતન આશર , રાજેશ એમ . અનડકટ , જયેન્દ્રસિંહ ઝાલા , ભરતસિંહ જાડેજા ( ભાતેલ ) , આનંદ ગોહીલ , હેત એમ . અનડકટ , રોકાયેલ હતા . મનોજ મણીલાલ અનડકટ એડવોકેટ.

ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરનામાનો ભંગ કરવા બદલ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા જેતે સમયે કોંગ્રેસમાં હતા.બીજા સહિત કુલ તમામ ૨૪ આરોપીઓનો નિર્દોષ છૂટકારો આ કેસની વિગત એવી છે કે , જામનગર જિલ્લા શહેર યુવા કોંગ્રેસ દ્વારા તા.૩૧-૮-૨૦૧૨ ના કલાક ૧૨-૩૦ વાગ્યે લાલબંગલા સર્કલમાં ભેગા થઈ ગુજરાત રાજય સરકારના ગળાડુબ ભ્રષ્ટ્રાચારોમાં સૌરાષ્ટ્રમાં ઘાસચારાની ભયંકર તંગી છે . પશુઓને ખાવા માટે ઘાસ નથી , જનતાને પીવા માટે પાણી નથી આ સરકારની મેલી નીતી છે તાલુકાદીઠ ઓછામાં ઓછા ચાર ઘાસ ડેપો ખોલવા તથા ગાય માતાના નામે મત મેળવી ગાયોને ભુખે મારવા જેવી નિષ્ફળ કરતુતો ના કારણે હાલની ભાજપ સરકાર ને એક મીનીટ પણ સતા પર રહેવા અધિકાર નથી આ સરકારના રાજીનામાની માંગણી સાથે એકઠા થયેલા યુવા કોંગ્રેસી કાર્યકરો લાલબંગલા સર્કલ થી એક રેલી સ્વરૂપે જામનગર જિલ્લાના મેજીસ્ટ્રેટ સાહેબની કચેરીએ આવી ત્યાં આવેદનપત્ર આપી એકઠા થયેલા હોય જેથીઆ કાર્યકરો સરકારી મિલ્કતને કોઈ નુકશાન ન પહોંચાડે કે તોફાન ન કરે કે બીજી કોઈ મિલ્કતને નુકશાન ન કરે તે માટે જામનગર સીટી ‘ એ ‘ ડિવીઝનના પી.આઈ. વી.જી.રાઠોડ , તેમજ પી.આઈ. જી.એ.સરવૈયા તથા તેમનો જરૂરી સ્ટાફ તથા સીટી ‘ બી ‘ ડિવી . પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.એમ. જોશી તથા તેમનો સ્ટાફ જિલ્લા એમ.ઓ.બી. શાખાના અતુલભાઈ વિનોદભાઈ ને વિડીયો શુટીંગ સાથે હાજર રખાવી સવારથી બંદોબસ્તમાં હાજર હતા.

તે દરમ્યાન કલાકે ૧ વાગ્યે યુવા કોંગ્રેસના આગેવાનો અને તેમાં રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા સહિત ( ૧ ) પ્રમુખ પ્રદ્યુમનસિંહ મનુભા જાડેજા ( ૨ ) પ્રેમજીભાઈ ચકુભાઈ ખેતીયા ( ૩ ) ફુલકાન અલીભાઈ શેખ ( ૪ ) મુકેશભાઈ માધવજીભાઈ પરમાર ( ૫ ) મારખીભાઈ લાખાભાઈ વસરા ( ૬ ) આસીફ કાદરભાઈ ( ૭ ) નરેશભાઈ દેવજીભાઈ જાદવ ( ૮ ) હનીફભાઈ હસનભાઈ ( ૯ ) ગીરીશભાઈ નાનજીભાઈ ( ૧૦ ) ઈમરાનભાઈ લાખાભાઈ ( ૧૧ ) હુશેનભાઈ હારૂનભાઈ ( ૧૨ ) ફીરોજભાઈ મુસાભાઈ ( ૧૩ ) ધમરાજસિંહ જયેન્દ્રસિંહ ( ૧૪ ) મહીપાલસિંહ અશોક સિંહ ( ૧૫ ) ગીરીશ રતીલાલ ( ૧૬ ) મોહસીન કાદરભાઈ ( ૧૭ ) જયેશ પ્રેમજીભાઈ ( ૧૮ ) ઈલેશ સુરેશભાઈ ( ૧૯ ) સુરેશભાઈ કરસનભાઈ ( ૨૦ ) ભરત કાળુભાઈ ( ૨૧ ) યોગરાજસિંહ ભરતસિંહ ( ૨૨ ) પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ ( ૨૩ ) ચંદ્રસિંહ ભુપતસિંહ ( ૨૪ ) હાસીફભાઈ કાદરભાઈ આ બધા માણસો ગેરકાયદેસર ટોળા સ્વરૂપે ભેગા થઈ જામનગર કલેકટર કચેરી સામે આવેલ ચોગાનમાં આવી ત્યાં એક સાથે ગુજરાત સરકાર વિરૂધ્ધ અને ત્યાં હલ્લો કરવા લાગતા તેઓ પાસે સરઘસ કાઢવાની પરવાનગી માંગતા પરવાનગી નહીં હોવાનું જણાવતા ઉપરોકત તમામ વ્યકિતઓની ધરપડક કરી અને તેઓને જામનગર સીટી ‘ એ ‘ ડિ.વી. પો.સ્ટે.માં લઈ ગયેલ અને ત્યાં સીટી ‘ એ ‘ ડિવી . ના પી.આઈ. વી.જી.રાઠોડે તમામ આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૧૮૮ તથા ગેરકાયદેસર મંડળીની કલમ ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૧૪૯ મુજબ ગુનો નોંધેલ . અને આ તમામ આરોપીઓની ધરપકડ કરેલ . અને તપાસ કરી આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ .
આ કેસ જામનગરની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી સોની સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો ના સાબીત માની અને જાહેરનામાના ભંગ બદલ તથા ગેરકાયદેસર મંડળી રચવા સબબના ગુનામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે . આ કેસમાં ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા તથા અન્ય આરોપીઓના વકીલ તરીકે મનોજ એમ . અનડકટ , કેતન આશર , રાજેશ એમ . અનડકટ , જયેન્દ્રસિંહ ઝાલા , ભરતસિંહ જાડેજા ( ભાતેલ ) , આનંદ ગોહીલ , હેત એમ . અનડકટ , રોકાયેલ હતા . મનોજ મણીલાલ અનડકટ એડવોકેટ.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સ...

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ ક...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach