• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા પ્લાઝમા ડોનેટ કરવાથી મને એક માનવીનું જીવન બચાવવાનો આત્મસંતોષ મળ્યો છે
News Updates

મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા પ્લાઝમા ડોનેટ કરવાથી મને એક માનવીનું જીવન બચાવવાનો આત્મસંતોષ મળ્યો છે

News Jamnagar January 06, 2021

મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા પ્લાઝમા ડોનેટ કરવાથી મને એક માનવીનું જીવન બચાવવાનો આત્મસંતોષ મળ્યો છે

જામનગર
બ્લડ બેંકમાં ૨૧૫ દાતા દ્વારા પ્લાઝમાનું દાન કરાતાં
જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ કોરોનાના દર્દીઓએ લીધી હતી સારવાર

-બ્લડ બેંકના વડા ડો.જીતેન્દ્ર વાછાણી
‘પ્લાઝમા ડોનેશન મેળવવાથી દર્દીની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે’
-મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતા
‘પ્લાઝમા ડોનેટ કરવાથી મને એક માનવીનું જીવન બચાવવાનો આત્મસંતોષ મળ્યો છે’
દેવદૂત સમા એડી. ડે. સુપ્રિટેન્ડન્ટ ડૉ.અજય તન્ના જ પ્લાઝમાના દાતા બની દર્દીની જિંદગી બચાવવા અન્યોને પ્રેરણા આપી

જામનગર તા.૬ જાન્યુઆરી, જી.જી.હોસ્પિટલની જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ દર્દીઓને સારવાર અપાઈ હતી. પ્લાઝમાં થેરાપીથી દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો થતો હોય છે.
પ્લાઝ્મા થેરાપીથી કોરોનાગ્રસ્ત દર્દીની સારવારની મુખ્ય જવાબદારી જે વિભાગ ઉપર હોય છે તેવા મેડિસિન વિભાગના વડા ડો.મનિષ મહેતા કહે છે કે રકત દાનની જેમ જ પ્લાઝમાંનું દાન કોરોના જેમને મટી ગયો હોય તેવી વ્યકિત કરી શકે છે. તંદુરસ્ત માનવ શરીરમાં આશરે ૪૫ ટકા રકતમાં કણો અને આશરે ૫૫ ટકા પ્રવાહી(પ્લાઝમા)ના રહેલા છે.
પ્લાઝમામાં ૯૨ ટકા પાણી હોય છે, ૮ ટકા મીનરલ્સ-એન્ટીબોડી હોય છે. કોઇપણ વ્યકિત કે જેને કોરોનાનો ચેપ લાગ્યો હોઇ અને સાજા થયા બાદ આઇજીજી પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થઇ હોઇ એ વ્યકિત પ્લાઝમાંનુ દાન ૨૧ થી ૨૮ દિવસ પછી કરી શકે છે.
પ્લાઝમાનું દાન કોણ કરી શકે એ વિશે કોવિડના રિજિઓનલ નોડલ ઓફિસર ડો. એસ.એસ.ચેટર્જી કહે છે કે, ૧૮થી ૬૫ વર્ષની વ્યકિત કે જેમને તાવ-ખાંસીના લક્ષણો સંક્રમણ દરમિયાન હતા અને વજન ૫૦ કિલોથી વધુ હોઇ, હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ થી વધુ, પ્રોટીનનું પ્રમાણ ૬ ગ્રામ હોવુ જોઇએ. તેમજ લોહીથી ફેલાતા રોગો ભૂતકાળમાં ન હોવા જોઇએ. દર પંદર દિવસે પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે. પ્લાઝમાં ડોનર પાસેથી એકવારમાં ૫૦૦ મિલી પ્લાઝમાં લેવામાં આવે છે. જે કોરોનાગ્રસ્ત દર્દીનું ઓકિસજન લેવલ ૯૩ ટકાથી ઓછું રહેતું હોઇ, વેન્ટિલેટર ઉપર હોઇ તેમને પ્લાઝમાં થેરાપીથી સારવાર કરવામાં આવે છે. કોન્વોલેસન્ટ પ્લાઝમામાં રહેલ એન્ટીબોડી હાલ કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરતાં દર્દીની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો.ભુપેન્દ્ર ગોસ્વામી કહે છે કે જે દર્દીઓને કોરોના થાય કે તરત જ જો પ્લાઝ્મા થેરાપીથી સારવાર આપીએ તો તેને આ સારવાર ખૂબ લાભકારક રહે છે. તેવુ અમે આ થેરાપીથી સારવાર દરમિયાન અનુભવ્યું હતું.

મેડીસીનના સિનિયર ડો.મહેજબિન હિરાની કહે છે કે, ૩૯૦ દર્દીઓને પ્લાઝ્મા થેરાપી આપી હતી. એટલે સરેરાશ સમજો કે એક દિવસની એક દર્દીની જો પ્લાઝ્માની સારવાર ગણીએ તો ૩૯૦ દિવસ સુધી એટલે કે એક વર્ષથી પણ વધુ સમય થાય. છેલ્લા ૧૦ મહિનામાં અમારા મેડિસિનના તબીબોએ ૩૯૦ દર્દીઓ ઉપર આ નવી સારવારનો સફળ ઉપયોગ કરી કોરોના દર્દીઓને સાજા કરી શક્યા છીએ.

એડીશનલ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ અને મેડિસિન વિભાગના ડો.અજય તન્નાએ કોરોનામુકત થયા બાદ પ્લાઝમાંનું દાન કર્યુ હતું. ડો.તન્ના આ વિશે કહે છે કે, દર્દીઓનું જીવન બચાવવુ એ તો અમારો ધર્મ અને કર્મ છે જ, સાથો સાથ પ્લાઝમાં ડોનેટથી મને એક માનવીનું જીવન બચાવવાનો આત્મસંતોષ મળ્યો છે. આ રીતે મને સમાજનું ઋણ ચૂકવવાનો સદઅવસર મળ્યો હતો. આમ દેવદૂત સમા ડૉકટર જ પ્લાઝમાના દાતા બની દર્દીની જિંદગી બચાવવા અન્યોને પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કોરોના દર્દીઓ ખાસ કરીને વૃદ્ધ અને અન્ય રોગના ધરાવતા દર્દીઓના શરીરમાં એન્ટીબોડી બનવાનું પ્રમાણ ધીમું હોય એને પ્લાઝમા ચડાવી એન્ટીબોડીનું પ્રમાણ વધારવા માટે ખાસ સૂચના આપી હતી.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

સુરત પોલીસ દ્વારા ૧૧ દિવસની અંદર ચાર્જશીટ થઈ ફાઈલ માત્ર સ...

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ ક...

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach