મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં આજે ગુરૂગોબિંદ સિંઘજીની ૩પપમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
News Jamnagar January 20, 2021
જામનગર
જામનગર શહેરમાં આજે ગુરૂગોબિંદ સિંઘજીની ૩પપમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજ સવારે શીખ સમુદાય ના લોકો દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલ ગુરૂગોબિંદસિઘજીની પ્રતીમાને ફૂલહાર કરી અને આ કોરોના મહામારીની બીમારીમાંથી સમગ્ર દેશ મુક્ત થાય તેવી પ્રાથના કરવામાં આવી હતી.
દર વર્ષે સવારે પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખીને સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે ફક્ત પાંચ લોકોએ પ્રતીમાને ફૂલહાર કર્યા હતાં. હોસ્પિટલ સંકુલમાં પ્રસાદી વિતરણ પણ કરવામાં આવી હતી.
તેમજ તા. ૧૮ જાન્યુઆરીથી સવારે ૧૦ વાગ્યે અખંડ પાઠ સાહેબ આરંભ કરવામાં આવ્યા હતાં. તે આજ તા. ર૦ના રોજ સવારે ૧૦ વાગ્યે પૂર્ણ થયા હતાં. ત્યાર પછી શબ્દ કીર્તન અને ગુરૂલંગર (પ્રસાદી)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024