મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લંડન કોર્ટે જયેશ પટેલની કસ્ટડી 28 દિવસ લંબાવી
News Jamnagar March 25, 2021
ફાઈલ.તસવીર.
લંડનમાં ધરપકડ કરાયા બાદ જયેશ પટેલને કોર્ટમાં રજૂ કરાયો, બોગસ પાસપોર્ટ મામલે જયેશ પટેલ સામે કાર્યવાહી
જયેશ સામે નોંધાયા છે 45 કરતા વધુ ગુનાઈન્ટરપોલની રેડકોર્નર નોટિસ બાદ લંડનમાંથી થઈ હતી ધરપકડ
જામનગરના નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા સહિત અન્ય 45 જેટલા ગંભીર ગુનાઓમાં ફરાર જયેશ પટેલની લંડનમાંથી થોડા દિવસ પૂર્વે ધરપકડ કરાયા બાદ બુધવારે તેને લંડની કોર્ટમાં રજૂ કરાયો હતો. જયેશ પટેલ કોર્ટની કાર્યવાહી સમજી શકે તે માટે હિન્દી દુભાષિયાની મદદ લેવામા આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
જમીન માફિયા જયેશ પટેલનો અસલી પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. તે બોગસ પાસપોર્ટના આધારે લંડન પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ જયેશ પટેલ સામે લંડન માં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ધારા હેઠળ ત્યાંની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જયેશ પટેલને ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે.
જયેશ સામે 45 કરતા વધુ ગુનાભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગર સહિત ગુજરાત અને મહારાષ્ટ્રમાં હત્યા, ધમકી, ખંડણી, જમીન પચાવી પાડવી જેવા 45 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. નામાંકિત વકીલ કિરીટ જોશીની હત્યા માટે જયેશ પટેલે 3 કરોડની ખંડણી આપી હોવાનો ખુલાસો પણ થયો છે.
વકીલ કિરીટ જોશીની હત્યા મામલે જયેશ પટેલના તેના ત્રણ સાગરિતની કલકત્તાથી ધરપકડ કરવામા આવી હતી. હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવી નામના ત્રણેય શખ્સોની ધરપકડ કરાયા બાદ જામનગર પોલીસે હાલ ત્રણેયને 12 દિવસના રિમાન્ડ પર લીધા છે. ત્રણેય ભાડુતી મારાઓ વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ચાર દેશ અને સાત રાજ્યોમાં ભાગતા ફરતા હોવાનો ખુલાસો થયો છે.
અહેવાલ .સાગર સંઘાણી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024