મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર્મી ભરતીના નકલી એડમિટ કાર્ડના ફ્રોડથી ચેતવા નાગરિકો જોગ
News Jamnagar March 31, 2021
જામનગર
જામનગર તા.૩૧ માર્ચ, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર દ્વારા જામનગર તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ-ભુજ તેમજ દીવ જીલ્લાના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતીમેળો-૨૦૨૧ તા.૦૧/૦૨/૨૦૨૧ થી ૧૫/૦૨/૨૦૨૧ સુધીમાં જે ઉમેદવારો દોડમાં તેમજ મેડીકલ ટેસ્ટમાં પાસ થયેલ છે, ત્યારબાદ જેઓને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા “એડમીટ કાર્ડ” આપવામાં આવેલ છે. તેવા જ ઉમેદવારો આગામી લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે.
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર તેમજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગરને ધ્યાને આવેલ કે, ગીર સોમનાથ તેમજ અન્ય જીલ્લાના લેભાગુ તત્વો દ્વારા ખોટા એડમીટ કાર્ડ બનાવીને પૈસા પડાવવાનું ફ્રોડીંગ ચાલી રહ્યું છે. જેના વિરુદ્ધ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા કાયદેસરની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે.
ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે, આવા તત્વો સાથે તેમજ ખોટા એડમીટ કાર્ડ મેળવવાની લાલચમાં ફસાવું નહી. ખોટા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને કોઇપણ પરિસ્થિતિમાં લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી, તેમજ તેમની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.
આવા ખોટા ફ્રોડીંગ કરનાર તત્વો કોઇપણ વ્યક્તિના ધ્યાને આવે તો આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગરનો વહેલી તકે સમ્પર્ક કરીને માહિતી આપવા જણાવવામાં આવે છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024