મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હોસ્પિટલને પ્રાણવાયુની સહાય સંસ્થા દ્વારા સાપ્તાહિક બે ટેન્કર ઓક્સિજન જી.જી હોસ્પિટલને અપાશે.
News Jamnagar May 09, 2021
જામનગર
જામનગર તા. 09 મે, કોરોનાની મહામારીમાં સરકાર સાથે જ અનેક સ્વેચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ લોકોને સહાયરૂપ થવા માટે આગળ આવી છે. દરેક વ્યક્તિથી લઇ સમાજ અને દરેક સંસ્થાઓ આજે એકબીજાના સાથ થકી આ મહામારી સામે લડત આપી રહી છે. જી.જી.હોસ્પિટલ જામનગરમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. સંક્રમણના બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે. અનેક દર્દીઓને ઓક્સિજનની તકલીફો સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.આવા કપરા સમયમાં જામનગરની બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક સરાહનીય સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જામનગર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં દર સાપ્તાહિકે ૨(બે) લિક્વિડ ઓક્સિજન(૧૦ ટન)ના ટેન્કર આપવામાં આવશે, જેનો આજરોજથી પ્રારંભ થયો હતો. સ્વામીનારાયણ સંસ્થા દ્વારા જી.જી.હોસ્પિટલને પ્રાણવાયુની સહાય કરવામાં આવી હતી. બી.એ.પી.એસ સંસ્થાના સાધુ-સંતો દ્વારા પૂજન વિધિ કરી આ સેવાકાર્યનો શુભારંભ કરાયો હતો. સંસ્થા દ્વારા આજે જી.જી હોસ્પિટલને ૧૦ ટન લિક્વિડ ઓક્સિજનનો જથ્થો આપવામાં આવ્યો હતો.
આ તકે મંત્રીશ્રી આર.સી,ફળદુએ કોરોના મહામારીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા લોકોની વ્હારે આવી અને ખૂબ સ્તુત્ય કાર્ય કરી રહી છે જે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી કલેક્ટર વી.કે. ઉપાધ્યાય, જી.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, નાયબ વન સંરક્ષક રાધિકા પરસાણા વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025