• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. વાવાઝોડા સંદર્ભે તંત્રની પ્રશંસનિય કામગીરી છતા લોકો સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે જરૂરી મંત્રી આર.સી.ફળદુ
Jamnagar

વાવાઝોડા સંદર્ભે તંત્રની પ્રશંસનિય કામગીરી છતા લોકો સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે જરૂરી મંત્રી આર.સી.ફળદુ

News Jamnagar May 17, 2021

વાવાઝોડા સંદર્ભે તંત્રની પ્રશંસનિય કામગીરી છતા લોકો સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે જરૂરી મંત્રી આર.સી.ફળદુ

જામનગર
વાવાઝોડા સંદર્ભે તંત્રની પ્રશંસનિય કામગીરી છતા લોકો સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે જરૂરી – મંત્રી આર.સી.ફળદુ

જામનગર તા.૧૭ મે, કૃષિમંત્રી આર.સી.ફળદુએ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રી,મ્યુનસિપલ કમીશનર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી સહિતનાઅધિકારીશ્રીઓએ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલ કામગીરી અંગેની વિગતો પૂરી પાડી મંત્રી ને માહિતગાર કર્યા હતા.

તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમજ તે અંગેની તમામ આનુસંગીક તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લા કલેક્ટર રવિશંકરે મંત્રી આર.સી.ફળદુને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંથી ૨,૫૦૦ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ દરિયાથી ૫ કિલોમીટરની ત્રિજયામાં આવેલ વિસ્તારોમાં રહેતા સગર્ભા બહેનોને યાદી તૈયાર કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.

ખેડૂતભાઈઓ તથા એ.પી.એમ.સી.ના હોદ્દેદારોને ખુલ્લામાં રાખેલ પાક જણસ સલામત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવેલ છે. દરિયા કાંઠે મીઠાના ઉદ્યોગોમાં કામ કરતા અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ઓક્સિજનના વહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગરથી હાપા સુધી ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવેલ છે. કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. આરોગ્ય કેન્દ્રો ખાતે જનરેટરની વ્યવસ્થા તથા ઇમર્જન્સી કિટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એમબ્યુલન્સ, બોટ સહિતના રાહત અને બચાવ કામગીરી માટેના વાહનોની યાદી બનાવી સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.

તાઉ’તે વાવાઝોડા સંદર્ભે જામનગર જિલ્લાના લોકોને અનુરોધ કરતા મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, વાવાઝોડા દરમિયાન જિલ્લામાં જાનમાલની કોઈ નુકશાની ન થાય તે માટે લોકો સતર્ક રહે. ખેડૂત ભાઈઓ પોતાના પશુધન માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરી પશુઓને સલામત સ્થળે ખસેડે, ઉપરાંત પોતાના પાકોને સલામત સ્થળે રાખે. આ ઉપરાંત નાની-મોટી બીમારીથી પીડાતા વડિલો ડોક્ટરના સંપર્કમાં રહી આવશ્યક દવાઓ સાથે રાખે, જે ઘરમાં સગર્ભા બહેનો છે તેની વિશેષ કાળજી લેવી જોઈએ. સગર્ભા બહેનો નજીકના સલામત સ્થળે આશ્રય મેળવી સતત ડોક્ટરના સંપર્કમાં રહે, નાના બાળકોને ઘરની અંદર જ રાખવા, આ કુદરતી આપદામાં આપણે કોઈ ચોક્કસ આધારશીલા બાંધી શકતા નથી તેથી સૌ સતર્ક રહે તે ખુબ જ જરૂરી છે.

આ તકે મંત્રીશ્રીએ વાવાઝોડા સંદર્ભે જિલ્લા વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવેલ કમગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, તંત્રએ વાવાઝોડાનો સામનો કરવા અંગેની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તૈયારીઓ કરેલ છે તેમ છતા નાગરિકો પણ સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે ખુબ જરૂરી છે.

આ મિટીંગમાં શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટ્ટુ, પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય અને અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.

Share:
Tags :
News Jamnagar

You may also like

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

"પર્યાવરણ દિવસ" ઉજવણીને સાર્થક કરતુ GPCB જામનગર

હવામાન વિભાગ દ્વારા બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાં...

ભારતીય સૈન્ય જવાનો બિપરજોય ત્રાટકે તે પહેલાં તૈયારીઓ કરી ...

73 પૈકીના 9 સગર્ભા બહેનોની આરોગ્ય કેન્દ્રો ખાતે સફળ પ્રસૂ...

કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે

જામનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને દરિયાકિનારા નજીક ર...

બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય તટરક્ષક દ્વારા વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...

September 26, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે અમેરિકાની ગલીઓમાં મહેકશે

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે આટલી કાળજી રાખ...

Recent News

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

ધ ગ્રેટ અંબાણીજી વિષે પુસ્તક લખનાર PNનુ ગ્રેટ સંબોધન

September 25, 2023

વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથ...

August 15, 2023

Jamnagar

પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો

September 26, 2023

જામનગરમાં ૧૫ ઓગષ્ટે સ્પર્ધા

August 12, 2023

સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો

August 01, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગર માં આજે કલાત્મક તાજીયા પડ માં આવશે આખરી ઓપ આપવામાં...

July 28, 2023

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach