મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આગામી તા.૧ લી જુનથી ૩૦ જુલાઈ સુધી માછીમારી કે અન્ય હેતુસર સમુદ્રમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
News Jamnagar May 29, 2021
જામનગર
જામનગર તા.૨૮ મે, સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસરશ્રીઓ દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં રહેલ માછીમારોનું જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતી સંભાવના હોવાથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવા રજુ કરેલ દરખાસ્ત જરૂરી જણાતાં રાજેન્દ્ર સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા નીચે મુજબના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાંથી કોઈ પણ માછીમારોએ કે અન્ય વ્યકિતઓએ તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૦/૦૭/૨૦૨૧ બન્ને દિવસો સહિતના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય હેતુસર સમુદ્રમાં કે ક્રીક એરિયામાં જવું નહીં અને કોઈ પણ બોટની અવર જવર કરી શકાશે નહી.
આ જાહેરનામાંમાંથી નીચે મુજબ મુકિત આપવામાં આવે છે
પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજોને, લશકરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટો, સમક્ષ અધિકારી દ્વારા અવર જવર કરવા માટે અધિકૃત કરવામાં આવેલ પેસેન્જર બોટો, નોન મોટરાઈઝ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એકલકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારો.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (૪પ માં અધિનિયમ)ની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025