મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચોરાઉ ડિજલના જથ્થા સહિત 2લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી જામનગર - એલ.સી.બી.
News Jamnagar June 21, 2021
જામનગર
રવિવારે જાબુંડાગામ ના પાટીયા પાસેથી ચોરાઉ ડિજલનો જથ્થો લી .૨૪૫૦ કિ.રૂ. ૨,૨૦,૫૦૦ / – તથા બોલેરો , મોબાઇલ ફોન મળી કુલ રૂ . ૪,૩ ૧,000 / – ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી જામનગર – એલ.સી.બી. પોલીસ જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇનચાર્જ પો.ઇન્સ. એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા , પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ , બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના ફીરોજભાઇ દલ તથા વનરાજભાઇ મકવાણાને મળેલ ખાનગી હકિકત આધારે જાબુંડાગામ ના પાટીયા પાસેથી ( ૧ ) કારાભાઇ મેધાભાઇ ભુડીયા રહે.ખજુરડી ગામ -૧ ભરવાડ પાડા તા.પડધરી જી.રાજકોટ તથા ( ૨ ) મયુરભાઇ મનુભાઇ જેઠા રહે.ગુલાબનગર હરીદ્વાર પાર્ક જામનગર વાળાના કજાની બોલેરો પીકઅપ વાહન નંબર જી.જે. ૧૩ એટી ૯૨૯૮ માંથી બીલ આધાર વગરનું ૪૧ કેરબામાં ભરેલ ડીઝલ કુલ ૨૪૫૦ લીટર કિ.રૂ. ૨,૨૦,૫૦૦ / – તથા બોલેરો કાર નંબર જી.જે .૧૩ એટી ૯૨૯૮ કિ.રૂ. ૨,૦૦,૦૦૦ / – તથા બે મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૫૦૦ / – મળી કુલ રૂ . ૪,૩૧,૦૦૦ / – નો મુદામાલ શકપડતી મિલ્કત તરીકે એ.એસ.આઇ. માંડણભાઈ વસરાએ કજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા પંચકોષી એ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે .
આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી , કે.કે.ગોહીલ , આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા , સંજયસિંહ વાળા , હરપાલસિંહ સોઢા , ભરતભાઇ પટેલ , નાનજીભાઇ પટેલ , શરદભાઇ પરમાર , અશ્વિનભાઇ ગંધા , દિલીપભાઇ તલવાડીયા , ફીરોજભાઇ દલ , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , પ્રતાપભાઇ ખાચર , વનરાજભાઇ મકવાણા , રઘુભા , પરમાર , ધાનાભાઇ મોરી , યશપાલસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , અજયસિંહ ઝાલા , યોગરાજસિંહ રાણા , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025