મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વી.વી. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નેત્ર નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar June 26, 2021
જામનગર
જામનગર તા.૨૫ જુન, શહેરના કે.વી. રોડ ખાતે આવેલ ગીતા વિદ્યાલયમાં વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત તથા શ્રી રણછોડ દાસજી આશ્રમ રાજકોટ દ્વારા પ્રેરિત નેત્ર નિદાન કેમ્પમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ
ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી સંસ્થા દ્વારા હાથ ધરાતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. રાજ્યમંત્રીશ્રીએ કેમ્પમાં હાજર રહી દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા તેમજ સંસ્થાના હોદેદારોને જનહિતના આવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
વી.વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદીએ મંત્રીશ્રીને સંસ્થાકિય પ્રવૃતિઓ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હાલ આ કેમ્પમાં ૫૦ દર્દીઓ સારવાર લઇ ચુક્યાં છે જેમાંથી ૧૭ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટના રણછોડદાસ આશ્રમ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ૯૦૦ જેટલા કેમ્પોનું આયોજન હાથ ધરી ૧૩ હજાર જેટલા દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ જરૂરિયાતવાળા દર્દીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરાયું છે. સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને રાજ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી તથા હોદ્દેદારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નેત્રદાન કેમ્પના સ્થળે સંસ્થાના હોદ્દેદારો, સામાજિક આગેવાનો તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025