મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર તાલુકામા માતાએ ત્રણ માસુમ સાથે કુવો પુર્યો-ત્રણેયના મોત
News Jamnagar July 07, 2021
જામનગર
અહેવાલ ભરતભાઈ ભોગાયતા.
જામનગર તાલુકાના ખંભાલીડા ગામે શ્રમિક પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે પરિવારના ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ કુવા અંદરથી સાંપડ્યા છે. શ્રમિક મહિલાએ પોતાના બાળકો સાથે કૂવો પૂર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે મહિલાનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. પારિવારિક કંકાસને લઈને આ ઘટના ઘટી હોવાનું પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે.
છેક અન્ય જિલ્લામાંથી જામનગરના ખંભાલીડા ગામે પેટનો ખાડો પૂર્વ આવેલ શ્રમિક પરિવારનો હસતો ખેલતો પરિવારનો માળો પિંખાઈ ગયો છે. જેની વિગત મુજબ, મહિલાએ પોતાના ત્રણ સંતાનને સાથે રાખી કૂવામાં ઝંપલાવતા ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે માતાનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયરની ટિમ દ્વારા તાત્કાલિક દોડી જઇ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પંચકોશી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પારિવારિક કલેસમાં સર્જાઈ હોવાનો પોલીસે પ્રાથમિક તારણ દરસાવી સચોટ કારણ જાણવા તાપસ હાથ ધરી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025