મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વોર્ડ નંબર 11 અને 12 ના કેટલાય વિસ્તારોની હાલત થઇ કફોડી નો ફરકયા કોઈ નેતાઓ . ઇકબાલ ખફી
News Jamnagar September 17, 2021
જામનગર
જામનગર શહેરમાં ભારે વરસાદને લઇને આવેલ આચિંતા ના પુર ને લીધે જામનગર શહેરના વોર્ડ નંબર 11 અને 12 માં પાણી ઘરોમાં ભરાઈ જવાને કારણે કેટલાય ઘરોમાં ઘરવખરી સપૂર્ણપણે નાશ થઇ જવા પામી છે , તો આજની તારીખે પણ કેટલાય ઘરો એવા છે.જેમાં અનાજ પણ પલળી જતાં શું ખાવું તે પ્રશ્ન છે.
જુવો વીડિયો
ત્યારે મત માંગવા નીકળતા નેતાઓ લોકોને ખરી જરૂર હતી તે સમયે ના ઉભા રહ્યા હોવાનો આક્ષેપ આ વિસ્તારના સ્થાનિક અને ભાજપના લઘુમતી શહેરના પ્રભારી ઇકબાલ ખફી એ કર્યો છે ઇકબાલ ખફીએ કરેલ આક્ષેપોમાં જણાવ્યું છે.
કે અમારા આ વિસ્તારમાં ગત સોમવારે ભારે વરસાદને કારણે રાજપાર્ક , સેટેલાઈટ સોસાયટી , સન સીટી 1 , અલ્ફા , ગોલ્ડન સોસાયટી , બાલનાથ સોસાયટી , સતવારા સમાજની વાડી સહિતના વિસ્તારોમાં , તો બીજી તરફ સિદ્ધનાથ સોસાયટી , રંગમતી , મહારાજા સોસાયટી ગનીપીરની દરગાહ મહાપ્રભુજીની બેઠક , સહિતના વિસ્તારોમાં વરસાદ રોકાઈ ચુક્યા બાદ ગંદકીનું ભારે સામ્રાજ્ય હોવા છતાં કોઈ નેતાઓ અહી ફરક્યા નથી જે બાબત ખુબ દુખદ છે ,
આ તમામ વચ્ચે આ વિસ્તારમાં જો યોગ્ય રીતે સફાઈ કરવામાં નહિ આવે તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત હોય તાકીદે આ વિસ્તારમાં સાફસફાઈ કરી દવાનો છંટકાવ કરી અને જે વિસ્તારોમાં ચુકવવાની થતી નુકશાની અંગે ચુકવવા પણ ઇકબાલ ખફી ( ભૂરા ભાઈ ) દ્વારા રજૂઆત કરાઈ છે .
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025