મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસકૃતી ફોઉન્ડેશન દ્વારા જયારે અસરગ્રસ્ત વિસ્તારો માં 12000 જેટલી ફૂડ કીટ નું વિતરણ કરવા માં આવ્યું
News Jamnagar September 21, 2021
જામનગર
જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક સ્થળે ખાસ કરીને નીચાણવાળા અને ગરીબ ,પછાત વર્ગ ના વિસ્તારોમાં અતિવૃષ્ટિ તથા પુર ના કારણે ગોઠણ ડૂબ/ગળા ડૂબ પાણી ભરાઈ ગયા આ પરિણામે અસંખ્ય લોકોના ઘરમાં ઘર વખરી ,ફર્નિચર , ગાદલાં – ગોદડા, કપડાં , અનાજ વગેરે ને ભારે નુકશાન થયું છે. અનેક મકાનો ને પણ નુકશાન થયું છે ખાસ કરીને ઘરોમાં પાણી ભરાઈ જવાથી ગરીબ – નિમ્ન મધ્યમ વર્ગ ના પરિવારો કે જેમણે લોન થી , હપ્તે થી ટી.વી.,પંખા , ફર્નિચર વગેરે લીધા છે તેમના આ ઉપકરણો ને નુકશાન થયું છે. બાર માસ ચાલે તેવા ભરેલા અનાજ પલળી ગયા છે.
સંસકૃતી ફોઉન્ડેશન દ્વારા જયારે અસરગ્રસ્ત વિસ્તારો માં 12000 જેટલી ફૂડ કીટ નું વિતરણ કરવા માં આવ્યું ત્યારે અમુક વિસ્તારો માં ઘરે ઘરે જઈ ત્યાં ના રહીશો ને મળી તેમની લાચારી જોઈ છે અને પરિસ્થતિ જોઈ છે .આ તમામ બાબતો નું ઝીણવટ થી દરેક નુકસાનીની વિગતો નો સર્વે કરી અસરગ્રસ્ત પરિવાર ને તે પ્રમાણે પૂરેપૂરી નાણાકીય સહાય મળે તે માટે હું માનન્ય મુખ્ય મંત્રી શ્રી ને નમ્ર વિનંતી કરું છું.
હાલ સરકારી તંત્ર દ્વારા સર્વે ની કામગીરી ચાલી રહી છે.તેમાં અરજદારો ની સહી ફોર્મ ઉપર લઈ જે તે ઘર નો સર્વે થઈ ગયો હોય તેવી ઉપરછલ્લી કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળે છે. જો આવી રીતે કામગીરી થશે તો નુકશાની ની સાચી વિગતો તંત્ર સુધી પહોંચશે નહિ અને અસરગ્રસ્તો ને યોગ્ય સહાય કે રાહત મળશે નહિ.
આથી સર્વે ની કામગીરી ઝડપ થી થઈ રહી છે તે ખરેખર આવકારદાયક છે, પણ કોઈ અસરગ્રસ્ત ને અન્યાય ન થાય એવા પગલાં લેવા ભારપૂર્વક ની વિનંતી હું કલેકટર શ્રી ને કરું છું .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024