મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારનો હુકમ ચાતરી લાલપુર મામલતદારે શિક્ષકોને બીજા કામમા જોતર્યા....શાળાઓના ભુલકાઓનુ શુ થાય એ ન વિચાર્યુ--ફાટ્યો રોષ
News Jamnagar July 12, 2022
સરકારનો હુકમ ચાતરી લાલપુર મામલતદારે શિક્ષકોને બીજા કામમા જોતર્યા….શાળાઓના ભુલકાઓનુ શુ થાય એ ન વિચાર્યુ–ફાટ્યો રોષ”
બિનશૈક્ષણીક કામગીરી ન સોંપવા ને બહુ જરૂરી લાગેતો DDO ની મંજુરી લેવાના આદેશ ઘોળીને પી જતા ક્લાસ ૨ ઓફીસર—વિરોધ ભભુક્યો
જામનગર ( ભરત ભોગાયતા)
સરકારનો હુકમ ચાતરી લાલપુર મામલતદારે શિક્ષકોને બીજા કામમા જોતર્યા અને શાળાઓના ભુલકાઓનુ શુ થાય એ ન વિચાર્યુ હોય શિક્ષકો અને વાલીઓ તેમજ જાણકારોમા અને શિક્ષણવિદોમા રોષ ફાટ્યો છે
બિનશૈક્ષણીક કામગીરી ન સોંપવા ને બહુ જરૂરી લાગેતો DDO ની મંજુરી લેવાના સરકારી આદેશને આ ક્લાસ ૨ ઓફીસર ઘોળીને પી જતા તે ઓફીસર સામે વિરોધ ભભુક્યો છે અને કલેક્ટરને આવેદન અપાયાનુ પ્રાથમીક શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષ રવિન્દ્રજીએ જણાવ્યુ છે
આજ રોજ તા.11 /7/ 2022 ના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ દ્વારા મામલતદાર લાલપુર કચેરી દ્વારા શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવતા અને આવી બિન શૈક્ષણિક કામગીરી શિક્ષકોને સોંપવાને કારણે શિક્ષકો શાળામાં ઉપસ્થિત રહી શકતા નથી જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ગંભીર અસરો થતી હોવાથી વિદ્યાર્થીઓના હિતના રક્ષણ માટે આ નિયમ વિરુદ્ધ આદેશને રદ કરવામાં આવે તેવી માંગણી સાથે માન.કલેકટરશ્રી, જામનગરને રજૂઆત કરવામાં આવી.આ રજૂઆત કરવામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, મંત્રી નાથાભાઈ કરમુર, કોષાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, પ્રચાર મંત્રી ડૉ. ભાવેશભાઈ વ્યાસ વગેરે હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા..
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024