મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાષ્ટ્રભરની જેમ જામનગરમા શ્રાવણ-આઝાદી અમૃત-મહોરમનો ત્રિવેણી સંગમ
News Jamnagar August 01, 2022
રાષ્ટ્રભરની જેમ જામનગરમા શ્રાવણ-આઝાદી અમૃત-મહોરમનો ત્રિવેણી સંગમ
જામ્યુકોના હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા સખી મંડળના બહેનો દ્વારા 2 લાખ રાષ્ટ્રધ્વજ તૈયાર કરાશે
જામનગર:
સમગ્ર રાષ્ટ્રભરની જેમ જામનગરમા શ્રાવણ-આઝાદી અમૃત-મહોરમનો ત્રિવેણી સંગમ જોવા મળે છે શ્રાવણ માસ આખો તેમાય સોમવાર તો રક્ષાબંધન સાતમ આઠમ તો વળી આઝાદી અમૃત વર્ષ ઉજવણી તેમજ શહાદત ના પર્વ મહોરમની શોક ગમ સાથે શકૂન આપવાની જહેમતના પર્વ મળી ત્રિવેણી સંગમ યોજાયો હોઇ છોટી કાશીમા થનગનાટ તેમજ ધૈર્ય શાંતિ સમુહ કાર્યો થઇ રહ્યા છે જે ઉજવણી માટે છે
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ની ઉજવણી હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ બનાવટ ની કામગીરી આજથી જામ્યુકોના કોમ્યુનિટી હોલમાં હાથ ધરવામાં આવી છે આ કામગીરીનું અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર વાસીઓને પૂરતા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ મળી રહે તે માટે સખી મંડળના બહેનો નો સહારો લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા ની બનાવટ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ,આ કામગીરીનું સુચારુ સંચાલન થાય અને નિયત સમયમાં કામગીરી પૂર્ણ થાય તે માટે કમિશનર વિજય કુમાર ખરાડી , નાયબ કમિશનર એ.કે.વસ્તાણી, આસી. કમિશનર બી.જે. પંડયા, સિટી એન્જિનિયર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ નોડલ ઓફિસર અશોક જોષી, UCD શાખાના મેનેજરો ,સમાજ સંગઠકકો ,ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયન આ કામગીરીને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
BGB
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025