મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા જોમ અને જુસ્સા સાથે આગળ ધપતી AAP અંગે પબ્લીકમાં ચર્ચાઓ
News Jamnagar September 05, 2022
જામનગરમા જોમ અને જુસ્સા સાથે આગળ ધપતી “AAP” અંગે પબ્લીકમાં ચર્ચાઓ
શહેર કોર કમિટીna પ્રમુખ પદે કનકસિંહ જાડેજા ની વરણી
વીજળી–પાણી-શિક્ષણ-આરોગ્ય વિ. વિનામુલ્યે મળે તો ખોટુ શુ…જીવન સરળ બને………આમેય બંધારણ મુજબ રાજ્ય સરકારો એ આ રીતે આપવાનુ છે જ
…………….મારા સાહેબ ભાઉજી તમેફ્રીરાશન–RTE-આયુષમાન–ટેકનીકલ ઉચ્ચ શિક્ષણ ફ્રી સહાય–સમુહલગ્ન સહાય–દિવ્યાગ અને મહિલા સહાય વગેરે આપો છો તે લાભ લેવા ધસારો હોય જ છે.ને….એ તો ખબર છે ને?? તો બધા લાભ લે જ છે ……….તો ફ્રી કે મફત મળતી બીજી પાયાની સેવા કેમ ન લે લોકો?? આડા હાથ દેવાની અને ખુમારીશબ્દ વાપરો પણ લોકોની સ્થિતિ જુઓ લોકો લાચાર છે…..જીવન નિર્વાહ છે અઘરૂ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમા જોમ અને જુસ્સા સાથે “આપ” આગળ ધપતી જ રહી હોય તેમ રાજકીય વિશ્ર્લેષકો જણાવે છે અને લોકો આપ ના વચનો અને દિલ્હી પંજાબ ની ચર્ચા કરી વિચારતા થયા છે દરમ્યાન હાલ સંગઠન વધુ મજબુત કરવાશહેર કોર કમિટીna પ્રમુખ પદે કનકસિંહ જાડેજા ની વરણી કરવામા આવી છે
બીજી તરફ એકમહત્વનો મુદો એ છે કે આમ આદમીપાર્ટી રેવડી વેચે છે તેમ કહેવાય છે પરંતુ
વીજળી–પાણી-શિક્ષણ-આરોગ્ય વિ. વિનામુલ્યે મળે તો ખોટુ શુ.??..જીવન સરળ બને………આમેય બંધારણ મુજબ રાજ્ય સરકારો એ આ રીતે આપવાનુ છે જ તેમ નિષ્ણાંતો નો મત છે
.જાણકારો સચોટ વાત કરતા એમ પણ જણાવે છે કે ……..મારા સાહેબ ભાઉજી તમે ફ્રી રાશન–RTE-આયુષમાન–ટેકનીકલ ઉચ્ચ શિક્ષણ ફ્રી સહાય–સમુહલગ્ન સહાય–દિવ્યાગ અને મહિલા સહાય વગેરે આપો છો તે લાભ લેવા ધસારો હોય જ છે.ને….એ તો ખબર છે ને?? તો બધા ખુબ ધક્કા ખાઇ ખાઇ ને પણ સમય બગાડી કામ બગાડીને લાભ લે જ છે ……….તો ફ્રી કે મફત મળતી બીજી પાયાની સેવા કેમ ન લે લોકો?? આડા હાથ દેવાની અને ખુમારી શબ્દ વાપરો પણ લોકોની સ્થિતિ જુઓ લોકો લાચાર છે…..જીવન નિર્વાહ છે અઘરૂ એસહેલુ કરો તો ખુમારી વધે ને ?? તેમ જાણકારોએ ઉમેર્યુ છે
દરમ્યાન આગેવાનોના જણાવ્યા મુજબ હાલારમાં આમ આદમી પાર્ટી નું સંગઠન દિન પ્રતિદિન ખૂબ જ વિશાળ થતું જતું હોય જેને ધ્યાને લઈ ગઈકાલે તારીખ 4 /9 /2022 ના રોજ આમ આદમી પાર્ટી જામનગર શહેર દ્વારા 78/79 વિધાનસભા મત વિસ્તાર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે કોર કમિટી ની સ્થાપના કરવામાં આવીછે
કોર કમિટી અંગેની પ્રથમ બેઠક શ્રી સાઈબાબા મંદિર ,ગાંધીનગર કનકસિંહના નિવાસ્થાને ખાતે યોજવામાં આવી જેમાં કોર કમિટીના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી તેમજ કોર કમિટી કઈ પ્રકારની કામગીરી પર વિશેષ ધ્યાન આપશે આ અંગે ચર્ચા કરવામાં આવી
આ કોર કમિટીમાં જામનગરના પૂર્વ મેયર તેમજ સાઈબાબા મંદિર ટ્રસ્ટ ના આગેવાન ટ્રસ્ટી શ્રી કનકસિંહ જાડેજા ના બહોળા અનુભવનો લાભ લેવા માટે વોર્ડ નંબર 2 માંથી જામનગર 78 /79 શહેરી વિસ્તાર માટે કોર કમિટીના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે
આ અંગે મીડીયા ઇન્ચાર્જ પત્રકાર નિલેષ ખાખરીયાએ વધુમા જણાવ્યુ છે કે આ ઉપરાંત આ કોર કમિટીના સદસ્યમાં આશિષભાઈ કંટારીયા વોર્ડ નંબર 3, ડોક્ટર પુજાબેન શર્મા વોર્ડ નંબર 6 ,સુખદેવસિંહ જાડેજા વોર્ડ નંબર 8, વિશાલભાઈ ત્યાગી વોર્ડ નંબર 5 ,વજસીભાઈ વારોતરીયા વોર્ડ નંબર 6, હરપાલસિંહ ગોહિલ વોર્ડ નંબર 4, પ્રવીણભાઈ ચન્યારા વોર્ડ નંબર 7, નિલેશ ખાખરીયા વોર્ડ નંબર 16, અનિરુદ્ધસિંહ ઝાલા વોર્ડ નંબર 6, આશિષભાઈ સોજીત્રા વોર્ડ નંબર 7, મિતેનભાઈ કાનાણી વોર્ડ નંબર 16 અને દિલીપસિંહ જાડેજા વોર્ડ નંબર 10 ની વરણી કરાઈ છે
આ કમિટી કનકસિંહ જાડેજાના માર્ગદર્શન માં સર્વાનુંમતે પાર્ટીના હિત તેમજ અન્ય કાર્યક્રમો માટેના મહત્વના નિર્ણયો કરશે તેમ પણ પાર્ટીએ જણાવ્યુ છે
@______________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024