મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા ઉંડા દુખની લાગણી વ્યક્ત કરતા પરીમલ નથવાણી
News Jamnagar September 11, 2022
અનંત વિભૂષિત જગદગુરૂએ સનાતન ધર્મની ધરોહરને અનોખુ બળ પુરૂ પાડ્યુ હતુ—પરમતત્વની ઉર્જા અવિરત પ્રસરાવી
શારદાપીઠ સહિત બે પીઠમાં બિરાજમાન સદગુરૂ એ જગદગુરૂ તરીકે અનેક જીવનમાં તેજ પુર્યા-અનેકના જીવન તેજોમય કર્યા
RIL ના વા.પ્રે. DPNએ કહ્યુ કે તેઓ નિત્ય આશીર્વાદ ઉર્જાનુભૂતિ કરે છે
શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા રીલાયન્સ ઇન્ડ. લી. ના ડાયરેક્ટર ( કોર્પોરેટ અફેર્સ) અને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણી( P.N.SIR)એ ઉંડા દુખની લાગણી વ્યક્ત કરી છે એક તરફ દ્વારકાધામ પ્રત્યેની શ્રી નથવાણીની અનેરી આસ્થાથી દ્વારકાધીશની અનન્ય ભક્તિ અને જેમા શંકરાચાર્યજીના અવિરત આશર્વાદ બંનેથી જીવન ધન્ય બનાવનાર શ્રી નથવાણી આ તકે ઉંડા દુખી લાગણી અનુભવે તે સહજ સ્વાભાવિક છે ખાસ કરીને
અનંત વિભૂષિત જગદગુરૂએ સનાતન ધર્મની ધરોહરને અનોખુ બળ પુરૂ પાડ્યુ હતુ અને પરમતત્વની ઉર્જા અવિરત પ્રસરાવી હતી તેમ પણ તેમણે જણાવી ઉમેર્યુ છે કે શારદાપીઠ સહિત બે પીઠમાં બિરાજમાન સદગુરૂ એ જગદગુરૂ તરીકે અનેક ના જીવનમાં તેજ પુર્યા છે અને તત્વાનુભૂતિ કરાવી હતી
ત્યારે વિશેષરૂપે પરીમલ નથવાણીએ ટ્વીટ કરતા જણાવ્યુ છે કેદ્વીપીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજએ આજરોજ ધરાતલ પરથી જીવનલીલા સંકેલીને દેવલોક ગમન કર્યું છે. મારા માર્ગદર્શક સ્વામીજીની વિદાઈથી વ્યક્તિગત રીતે હું ઊંડા દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. સમગ્ર સનાતન ધર્મ તેમજ દ્વારકા શહેર શોકમાં ડૂબી ગયાં છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ ?
પ્રાત: સ્મરણીય સ્વરૂપાનંદજીના આશીર્વાદથી નિત્ય નૂતન ઉર્જા અનુભવુ છુ—RIL V.P. ધનરાજ નથવાણી
પરમતત્વના અનુસંધાન સાથે સર્વોચ્ચ ધર્મગાદીપતિ શ્કરાચાર્યજીના મને વખતો વખત તેજોમય આશીર્વાદ મળ્યા હોય આજ પણ હુ એ દિવ્ય અનુભૂતિ કરૂ છુ તેમજ આત્મજ્યોત સ્વરૂપ તેઓ મને અંતરીક્ષમાથી આશીર્વાદ આપી દિવ્યતા પ્રદાન કરતા રહેશે તેવો ભાવ આ તકે વ્યક્ત કરી રીલાયન્સ ઇન્ડ.લી. ના વાઇસ પ્રેસીડન્ટ ધનરાજ પરીમલ નથવાણી(DPN SIR)એ ઘેરો શોક વ્યક્ત કર્યો છે તેમજ આ અનંત અવકાશમય સંજોગો વખતે દિલના પરમ ભાવ વ્યક્ત કરતુ ટ્વીટ પણ ધનરાજભાઇએ કરીને તેઓ અનુભવી રહ્યા છે તે ઉંડા દુખને શબ્દરૂપી સહારો આપ્યો હતો
એડિટર .અકબર બક્ષી
@_________________
BGB
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024