• Home
  • National
  • Gujarat
  • Jamnagar
  • Political
  • Public Voice
  • News Updates
  • Crimes
  • Dharmik
  • Editor Report's

Political

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...

મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...

October 31, 2022

વોર્ડ નંબર 12માં કારોબારી બેઠક યોજાઈ હતી.

જિલ્લાના યુવા નેતા આંદોલનકારી આહીર સંજય ચેતરીયા એ આમ આદમી...

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

જામનગર જિલ્લા ભાજપ મીડીયા સેલ ના કન્વીનર ની નિમણુંક

  1. Home
  2. એકહજારથી વધુ વ્યાજખોરો જેલ હવાલે--ગૃહરાજ્યમંત્રી
Other News Updates

એકહજારથી વધુ વ્યાજખોરો જેલ હવાલે--ગૃહરાજ્યમંત્રી

News Jamnagar March 13, 2023

એકહજારથી વધુ વ્યાજખોરો જેલ હવાલે--ગૃહરાજ્યમંત્રી

જામનગરમાં કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જિલ્લા પોલીસ આયોજિત લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક અર્પણ કરાયાં.

જામજોધપુર ખાતે રૂ. 6.12 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ.

 

નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નશામુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી હાથ ધરી છે – કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

3500 થી વધુ લોક દરબાર યોજી પોલીસે રાજયના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી મુક્ત કર્યા છે – ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

જામનગર જિલ્લામાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરાઈ

પોલીસ તથા બેંકના સહયોગથી જિલ્લાના 89 લાભાર્થીઓની રૂ. 2.35 કરોડથી વધુની લોન મંજૂર થઈ

જામનગર તા.12, શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસરૂપે જામનગર જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રૂપિયા 6,12,75,000 ના ખર્ચે નવનિર્મિત બી કક્ષાના 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોની આર્થિક જરૂરિયાત પૂરી પાડવા જુદી જુદી બેંકો સાથે સંકલન કરી લોકોને મદદરૂપ થઈ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિભાવના ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે તેમજ ડ્રગ્સ માફીઆઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરી નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નાશમુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી કરી છે.

આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ વ્યાજના દૂષણને ડામવાની શરૂઆત કરી.ગુજરાત પોલીસે રાજ્યમાં 3500 થી વધુ લોક દરબાર યોજી એક હજારથી વધુ વ્યાજખોરોને જેલ હવાલે કર્યા અને હજારો કેસમાં પોલીસની મધ્યસ્થીના કારણે વ્યાજખોરોએ સમાધાનકારી વલણ અપનાવું પડ્યું. આમ ગુજરાતના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી પોલીસે મુક્ત કર્યા છે. જામનગર જિલ્લામાં પણ વ્યાજખોરોથી પીડાતા લોકોની વ્હારે આવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. જામનગર જિલ્લામાં આજ દિન સુધીમાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાંના 25 આરોપીઓ હાલ જેલ હવાલે છે ઉપરાંત અનેક કેસો ઇન્કમટેક્સ વિભાગ, ઇ.ડી. તથા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરી જિલ્લા પોલીસ દ્વારા એક અનેરી પહેલ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં નાગરિકો વ્યાજના વિષચક્રમાં ન ફસાય તે હેતુથી બેંકના માધ્યમથી લોન અપાવવાનું ઉમદા કામ હાથ ધરાયું છે જે અન્વયે 89 લાભાર્થીઓની રૂ. 2,35,57,400 ની લોન પોલીસ તથા બેંકના સહયોગથી મંજૂર થઈ છે.

પોલીસ જવાનને સુવિધા યુક્ત આવાસ મળે તેમજ નિશ્ચિત થઈ પોલીસ ફરજ બજાવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે જામજોધપુર ખાતે રૂ.6,12,75,000 ના ખર્ચે બી કક્ષાના 32 આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં શંકર ટેકરી વિસ્તાર તથા જોડીયા ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું તેમજ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે સ્વાગત પ્રવચન વડે સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કરાઈ હતી.

આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા તથા બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share:
Tags :
News Jamnagar

You may also like

તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર...

મંત્રીઓ હર્ષભાઇ-મુળુભાઇ  સાંસદ પૂનમબેન એ દ્વારકાધીશજીના અ...

181 જામનગર ટીમની વધુ એક માનવીય સંવેદનાસભર ડ્યુટી....bravo

ખંતીલા રાઘવજીભાઇ જામનગરથી જોડીયા સુધી એકધારા લોકપ્રિય હોઇ...

દર્શન માત્રથી ઉર્જા અનુભૂતિ કરાવતા કુદરતની ભેંટ સમાન પર્વત

ન્યુઝ sdm

શ્રીપબુભા બાપુ-શ્રીમુળુભાઇ બેરા-શ્રી રાઘવજીભાઇ પટેલને મળશ...

લાભપાંચમથી  મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદ...

જામ્યુકો ની ફાયર શાખામાં સ્ટેશન  ઓફિસર તરીકે કાયમી નિમણૂક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

News Updates

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે...

મંત્રીએ કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના,ક્ષારઅંકુશ, સિંચાઇ વિભાગ, સૌન...

May 27, 2023

જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન

ન્યાયમંદિરની ગરીમા અને છેવાડા સુધી ન્યાય માટે કટીબદ્ધતા વ...

અમદાવાદમા શિવદળ દ્વારા જુસ્સા સાથે માનવતાનો સમન્વય

મહિલા આઈ.ટી.આઈ. જામનગર દ્વારા ‘એન્યુઅલ ડે-૨૦૨૩’ ની ઉજવણી ...

Recent News

વર્ષ ૨૦૨૨ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પિત...

June 04, 2023

જામનગર જિલ્લાના ભુચરમોરીના રણ મેદાનમાં નિર્માણ પામેલ શહિદ...

June 04, 2023

તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર...

June 03, 2023

Jamnagar

વર્ષ ૨૦૨૨ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પિત...

June 04, 2023

જામનગર જિલ્લાના ભુચરમોરીના રણ મેદાનમાં નિર્માણ પામેલ શહિદ...

June 04, 2023

તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર...

June 03, 2023

Public Voice

હેલ્લો ફ્રેન્ડ આજે મારો જન્મદિવસ છે આપ બધા આવજો મારી બર્થ...

August 21, 2022

મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોના કાળના બે વર્ષ બાદ રમઝાનની ...

May 03, 2022

અઢી મહિના ના વિવાનને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બ...

June 27, 2021

Dharmik

જામનગરમાં હર્ષોલ્લાસ થી ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવી.

April 22, 2023

જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્...

April 17, 2023

ધર્મગુરૂ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં સમસ્ત સિંધી સમાજ ઇ...

March 21, 2023

News Jamnagar is the best news website. It provides news from many areas.

Contact us : newsjamnagar52@gmail.com

@2023 - newsjamnagar.com. All Rights Reserved. Designed and Developed by Newsreach