મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગનથીસીનસપાટાnoway-jmrSOG છે સજ્જ
News Jamnagar November 01, 2023
ગનથીસીનસપાટાnoway-jmrSOG છે સજ્જ
ધ્રાગડા ગામની સિમમાં લાઈસન્સ વાળુ હથીયાર કાઢી ફાયરીંગ કરી મનમાટા કરતો વિડીયો બનાવનાર એક ઈસમને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર એસ.ઓ.જી. અવિરત ગુનેગાર આલમ ઉપર વોચ રાખે છે ઇન્ટેલીજન્સ મેળવે છે કોઇ આંતરીક સલામતિને નુકસાન કરતનારી બાબતો નુ પગેરૂ મેળવી ગુનેગારોને પકડી ગુના અટકાવવા સતત કાર્યશીલ રહે છે ત્યારે વધુ એક અટકાયતી પગલા લીો લોકોનો ભય દૂર કરવા કાયદેસર કાર્યવાહી કરી છે
જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ ની સૂચનાથી જામનગર જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને પકડવા અંગે સૂચના કરેલ જેથી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.એન.ચૌધરી સાહેબ એ આવારા તત્વો હથીયારના ફોટા તથા વિડીયો બનાવી સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સિનસપાટા કરતા હોય તેવા ઈસમોને સોશ્યલ મિડીયાના માધ્યમથી શોધી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે મુજબ પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો સોશ્યલ મિડીયાની સાઈડ ઉપર આવા ઈસમોની વોચમાં હતા,
દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના સંદિપભાઈ ચુડાસમા તથા રમેશભાઈ ચાવડા તથા દિનેશભાઈ સાગઠીયાને હક્રિકત મળેલ કે આકિબ શફીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટમા ફેસબુક સ્ટોરીમા એક વિડીયો અપલોડ કરેલ હોય જે વિડીયોમાં એક ઈસમ જાહેરમા પોતાના હાથમા એક બંદુક લઈ ફાયરીંગ કરતો હોવાની હકિકત મળેલ જે હકિકતની ખરાચ કરતા જેમાં આરોપી સોહિલભાઈ ઓશમાણભાઈ રાઉમાએ તેના કુટુંબી ભાઇ આક્રિબ સફિયાની ધ્રાગડા ગામે આવેલ વાડીએ જઈ ત્યા તેની પરવાના વાળી બંદુકથી જાહેરમાં ફાયરીંગ કરતો હોય તેવો વિડીયો બનાવી સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમાં ભય ફેલાવી પોતાની ધાક જમાવવા માટે સિનસપાટા કરેલ હોય જેથી મજકુર ઈસમનું લાઈસન્સ વાળુ બારબોર હથીયાર કિ.રૂ.૫,૦૦૦/- નુ કબ્જે લઈ મજકુર ઈસમ વિરૂધ્ધ પંચ “એ” ડીવી. પો.સ્ટે.માં આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.
આરોપીનુ નામ:- સોહિલભાઈ ઓશમાણભાઈ રાઉમા સંધી રહે. નદીપા રોડ, વાલબાયની મસ્જીદ પાસે, લંઘાવાળનો ઢાળીયો, જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી બી.એન,ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ. શ્રી જે.ડી.પરમાર તથા પોલીસ સબ ઈન્સ. શ્રી આર.એચ.બાર સાહેબની સૂચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
@________________
BGBhogayata
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024