મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અંગ્રેજી શરાબ ની 648 બોટલ ભરેલ ટ્રક ને મુદામાલ સાથે પકડી પાડતી જામનગર -લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar August 13, 2022
જામનગર
તા.૧૩/૦૮/૨૦૨૨
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમ ટ્રક નંબર જી.જે.૧ર યુ ૪૬૦ માથી ઇગ્લીંશ પીવાનો દારૂની કુલ ૬૪૮ બોટલની કિ.રૂ.૨,૫૯,૨૦૦/- તથા ટ્રક કિ.રૂ.૫,૦૦૦૦૦/- મળી કુલ ૭,૫૯,૨૦૦ નો મુદામાલ પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ.જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,
એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ.સંજયસિંહ વાળા તથા પો.હેડ કોન્સ. દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ સરવૈયાને મળેલ ખાનગી હકિકત આધારે નવાગામ થી પીપળી ગામ બાજુ જવાના માંર્ગમા વચ્ચે આવતી નદી હોકરામા નદી વચ્ચે ટ્રક નંબર જી.જે.૧૨ યુ ૭૪૬૦ માંથી કુલ ૬૪૮ બોટલની કિ.રૂ.૨,૫૯,૨૦૦/- તથા ટ્રક કિ.રૂ.૫,૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૫૯,૨૦૦ નો મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી મજકુર ટ્રક ચાલક આરોપી જે સ્થળ ઉપર થી હાજર મળી આવેલ નથી તેના વિરૂધ્ધ પો. હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા એ ફરીયાદ રીપોર્ટ આપતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ કે.કે.ગોહીલ એ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. ટ્રક નંબર જી.જે.૧૨ યુ ૭૪૬૦ ના ચાલકને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. કે.કે.ગોહીલ ની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી શીવભદ્રસિંહ જાડેજા નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025