મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને રોકડ રૂ. ૧૯,૭૦૦/- સાથે પકડી પાડતી LCB જામનગર
News Jamnagar June 11, 2023
જામનગર – એલ.સી.બી.પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધીકારીશ્રી ગુ.રા. ગાંધીનગર નાઓની પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવાની ડ્રાઇવ અન્વયે કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલું સાહેબ (IPS) તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાડેય સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ. એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર, ધનશ્યામભાઇ ડેરવાળીયા તથા રાકેશભાઇ ચૌહાણને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં વુલનમીલની સામેના ભાગે ભકિનગર-ર માં સીદીકભાઇ ખફીના રહેણાક મકાનની દિવાલના છાયે નીચે જણાવેલ સ્ત્રીઓ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવતા તેના કબ્જા માંથી રોકડ રૂપીયા ૧૯,૭૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ રૂ. ૧૯,૭૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર સ્ત્રીઓ વિરૂધ્ધ પો. કોન્સ. કિશોરભાઇ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. ધાનાભાઇ મોરીએ જુગારધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ સ્ત્રીઓઃ- (૧) મુમતાજબેન વા/ઓ સીદીકભાઇ ખફી રહે-ભક્તિનગર-૨ દિગ્દામ મીલની સામે જામનગર (૨) ભારતીબા વા/ઓ રાજેંન્દ્રસિંહ ઝાલા રહે-સરદાર વલ્લભભાઇ આવાસ, રોઝી પેટ્રોલપંપ પાસે જામનગર (૩) સવિતાબેન વા/ઓ મલદેભાઇ નંદાણીયા રહે-ગોકુલનગર મુરલીધર નગર શેરી નં-૫, જામનગર (૪) મેરૂનબેન વા/ઓ મામદભાઇ ખફી રહે-નાગેશ્વર રોડ, સોનાપુરી પાછળ જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ જેવી ચૌધરી રીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ, તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025